મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.મિયાવાકી પદ્ધતિથી સાગ,ખેર,વાંસ,સીરસ,સીસુ,અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.આ અર્બન ફોરેસ્ટ પાર્કના…
Author: gujarat
ઉતરાખંડમાં ખીર ગંગા નદીમાં આવેલા પૂર: ગુજરાતના પાટણ,બનાસકાંઠા,અમદાવાદ,ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં સુરક્ષિત છે :- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકાર અને ત્યાંનાSEOCસાથે સતત સંપર્કમાં ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલ પુરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતના પાટણ,બનાસકાંઠા,અમદાવાદ,ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. વધુમાં પ્રવક્તા…
ગુજરાતના માછીમારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય-સીઝનની શરૂઆતમાં ડીઝલ માટે બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યોમાછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા. ૧૬ ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તા. ૧૧ ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.આ સંદર્ભે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી તા. ૧૬ ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે.…
રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ અમારો સંકલ્પ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્યાણના ૧૮ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાયનું ઈ-વિતરણ કરાયુંØઅનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ ૧,૪૦,૧૯૧ લાભાર્થીઓને રૂ.૨૭.૮૩ કરોડની શૈક્ષણિક,યોજનાકીય સહાય અને લોનની ચૂકવણીસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય તથા લોનનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૧૮,૮૪,૫૫૧ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાય…
અંબાજી મંદિર ખાતે ધર્મ,અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ,ડોનેશન,ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતAmbaji, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી આજે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ – જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.આ…
રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ‘ સેરેમની યોજાઈરાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.–: મુખ્યમંત્રી શ્રી:–મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમનીનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નવા હોદ્દેદારો આગામી ૨૦૨૫-૨૭ના કાર્યકાળ માટે પદભાર સંભાળશે.Ahmedabad, આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે ભારત વૈશ્વિક…
પેટલાદ, પેટલાદ તાલુકાના મોરડ ગામની અછીપુરા સીમમાં આવેલા ખેતરમાં રહેતી અને દેશી દારૂ વેચી જીવન ગુજરાન ચલાવતી ૭૫ વર્ષીય વૃદ્ધાની મંગળવારે સાંજના અરસામાં બે શખ્સોએ લુંટના ઇરાદે હત્યા કરી સોનાની બુટ્ટીઓની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમના રીમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.મોરડ ગામની અછીપુરા સીમ વિસ્તારમાં ૪૦ વર્ષીય રામાભાઇ ઉર્ફે ટીકાભાઇ બુધાભાઈ પરમાર પોતાના પત્ની, સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવિંગ કરી જીવન ગુજરાન ચલાવે છે.રામાભાઇ પરમારના ૭૫ વર્ષીય વિધવા માતા ધુળીબેન બુધાભાઈ મંગળભાઈ પરમાર જે પોતાના પુત્ર રામાભાઈ પરમારથી અલગ ઘરથી થોડે દૂર ખેતરમાં કાચું મકાન બનાવીને રહેતા હતા…
અમદાવાદ, ફરી એક વખત અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાનું ષડયંત્ર પોલીસે ખુલ્લુ પાડ્યું છે. એસઓજીના ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી અને એફ.એન. બેલીમે વેજલપુર સાવન હોલ પાસેથી એક મહિલાને રૂપિયા ૫૦૦ના દરની ૨૭ બનાવટી નોટો સાથે ઝડપી લીધી હતી. પૂછપરછમાં તેને કેટલાક લોકોએ આ નોટો બજારમાં ફરતી કરવા માટે આપી હતી.પોલીસે હાલ આ તત્ત્વોને ઝડપી લેવાની કવાયત આદરી છે. બીજી તરફ એક જ સિરીઝ નંબરની ત્રણ -ત્રણ નોટો મળી આવતાં આ નોટો ક્યાંથી દેશમાં ઘૂસાડવામાં આવતી હતી તેની પાણ તપાસ ચાલી રહી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુનેગારોને ઝડપી લેવા માટે ખાસ કવયાત શરૂ કરી છે. ત્યારે જ એસઓજીના ઇન્સ્પેક્ટર જોષી તથા બેલીમને…
મોરબી, મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી જેમાં ઘટનાસ્થળે જ ૪ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનર સહિત કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જોકે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર, માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતી ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યાે, આ…
અમદાવાદ, બાપુનગરમાં સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવાનો કડવો અનુભવ સગીરાને થયો છે. મિત્ર યુવક સગીરાને તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ કંટાળીને યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા પાગલ પ્રેમી ઈન્સ્ટાગ્રામમાં સગીરાના ફોટોગ્રાફ અપલોડ કરી દીધા હતા.આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બાપુનગરમાં રહેતા ૪૦ વર્ષીય પિતાએ સગીર દીકરીને ત્રણ વર્ષ સુધી બ્લેકમેઈલ અને બદનામ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી. બાદમાં તેના ફોટોગ્રાફ માગીને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. સગીરાએ યુવકનો નંબર બ્લોક કરીને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી…
