યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠકગાંધીનગર,યુસીસીને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે ચર્ચા થઈ હતી. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક યોજાઈ હતી.બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ…
Author: gujarat
ઓઢવમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની હત્યાઅમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની ઘાતકી હત્યા કરાઈ હતી. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી હતી.ભત્રીજીના સગાઈના દિવસે કાકાની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી હતી.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જીગ્નેશ પટણી, અરુણ પટણી અને વીકી ઉર્ફે ડોલી પટણીની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. ૩ ઓગસ્ટના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગે ઓઢવના રામનગર ખાતે મૃતક સુનિલ ઉર્ફે ભોપો પટણી અને તેના મિત્રો રવિ પટણી ભત્રીજી રેશમાને…
(જૂઓ વિડીયો) રેગીન એક્ટિવિટી કરીને બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું. (એજન્સી)ગાંધીનગર, ગંભીરા બ્રિજ પર લટેકેલું ટેન્કર બહાર કાઢવામાં આવ્યું છે. મરિન બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટેન્કરને લગભગ ૨૮ દિવસ બાદ બહાર કઢાયું છે. ટેન્કર નીચે મરીન બલૂન મૂકાયા હતા. જ્યારે મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઉંચું કરાયું હતું.આખરે ટેન્કરને ભારે જહેમત બાદ સલામતીપૂર્વક બહાર કાઢવામાં આવતાં ટેન્કર માલિક અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ટેન્કરના માલિકે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. ટેન્કર માલિકની ટેન્કર ઉતારવા અનેક રજૂઆતો છતાં ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એક બીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા હતા. આખરે…
(એજન્સી)અમદાવાદ, જુહાપુરાના સંકલિતનગરમાં ઘરના પગથિયા આગળ પાનની પિચકારી મારવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર બાદ મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ૧૯ વર્ષીય યુવકને ઉપરાઉપરી છરી ઝીંકી ઢાળી દીધો હતો. વેજલપુર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે.જુહાપુરામાં રહેતા મોહમંદસફી શેખ અને તેમનો ૧૯ વર્ષીય પુત્ર સુફિયાન ત્રણ દરવાજા ખાતે કપડાંનો વેપાર કરે છે. ગત રવિવારે મોડી રાત્રે તેમના ઘરની બહાર ઝઘડો થતો હતો. ત્યાં જઇને તપાસ કરી ત્યારે મોહમદસફીના બનેવી મોહમદ હમઝા શેખ સાથે તેમની પાડોશમાં રહેતા લોકો તકરાર કરી રહ્યા હતા.પાડોશમાં રહેતા આરીફ ખલીફાનો દીકરો તાહીર, તારીક અને અયાન તથા સાઢુ અકરમ મણીયાર, સાળો શાહરૂખ…
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યાં છે. જેને એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તહેનાત કરાશે.અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે, જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગઈ હોય. આધુનિક અભિરક્ષક વાહનમાં ઓક્સિજનનો બાટલો ઉપરાંત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઈક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે.જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઈટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા…
(પ્રતિનિધી)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ડેગ્યુ, કોલેરા, કમળા જેવા રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવામાં માટે દવા છંટકાવ જેવી વિવિધ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છર ઉતપત્તી નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ પણ કરવામાં આવે છે.મંગળવારે રહેણાક વિસ્તારમાં કરેલી આવી ઝુંબેશ દરમિયાન કોર્પોરેશને ૫૦૪ એકમોને નોટીસ આપી રૂપીયા ૨ લાખનો દંડ વસુલ્યો હતો જ્યારે જુન જુલાઈ મહિનામાં ડેન્ગયુ, ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોમાં ચિંતા જનક વધારો જોવા મળ્યો છે.શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે રોગચાળો વકરી રહ્યો છે શહેરમાં જુલાઈ મહિના દરમિયાન ઝાડા ઉલટીના ૭૮૯, કમળાના ૭૯૫, ટાયફોઈડ, ૬૧૫ અને કોલેરાના ૨૭ કેસ નોંધાયા છે.શહેરના…
SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુંબિહાર, ચૂંટણી પંચે બિહાર બાદ હવે બંગાળમાં પણ મતદારોની યાદીમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આ અંગે માહિતી આપી હતી. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મતદારોની યાદી પર જીંઇની પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાયો છે.બિહારમાં મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણનું કામ અંતિમ તબક્કામાં છે.SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.આ પ્રક્રિયા બાદ બિહારમાં આશરે ૬૫ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે. જેમાં મોટાભાગના મતદારો મૃત્યુ પામ્યા છે. બાકીના એવા મતદારો સામેલ…
‘નારી વંદન ઉત્સવ‘ સપ્તાહ: અમદાવાદ જિલ્લોજિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કંચનબહેન વાઘેલા દ્વારા મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે સન્માનિત કરવામાં આવ્યામહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તીકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 01 થી 08 ઓગસ્ટ, 2025 સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે.આ અંતર્ગત અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે…
સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ અને નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રાચીન સભ્યતા, વિરાસત અને ભવ્ય વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે :- સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલિવાલજિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલિવાલ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કૃત ગૌરવ યાત્રામાં શાળાના…
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ગુરુવાર, 7 ઓગસ્ટના રોજ આસારામ બાપુના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા. આસારામ બાપુને 2013ના બળાત્કાર કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અગાઉ, 3 જુલાઈના રોજ, હાઈકોર્ટે તેમને એક મહિનાના જામીન આપ્યા હતા. તે સમયે, આસારામના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ જામીન લંબાવવા માટે વધુ કોઈ માંગણી કરશે નહીં. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં તબીબી કારણોસર જામીન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ બધા છતાં, આસારામ બાપુએ ફરીથી જામીન લંબાવવા માટે અરજી કરી છે. આ અરજી તેમણે પોતાની સજા…
