ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયુંઆ મામલે પોલીસે હાલ, મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આ આપઘાત છે કે હત્યા તેનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે નવી દિલ્હી, ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ જેવા શહેરોમાં ફાયરિંગ અને ઘાતક હથિયારો લઈને ફરતા ગુંડાઓના સમાચાર જાણે સામાન્ય બની રહ્યા છે. એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા યુવકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જોકે, હત્યાએ પોલીસને ગોથે ચઢાવી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ…
Author: gujarat
મુંબઈ, 04 ઓગસ્ટ, 2025– કોનપ્લેક્સ સિનેમાસ લિમિટેડ (કોનપ્લેક્સ,ધ કંપની) એક મનોરંજન કંપની છે જે લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી રહી છે, તેણે 7 ઓગસ્ટ,2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે,જેનો હેતુ એનએસઇઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા 51,00,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુના માધ્યમથી₹90.27 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.આ ઇશ્યુની સાઇઝ પ્રતિ શેર₹168 – ₹177ના પ્રાઇઝ બેન્ડ સાથે પ્રત્યેક₹10ના અંકિત મૂલ્ય પર51,00,000ઇક્વિટી શેરની છે.ઇક્વિટી શેરની ફાળવણીઆ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ કોર્પોરેટ ઓફિસની ખરીદી,એલઇડી સ્ક્રીન્સ અને પ્રોજેક્ટર્સની ખરીદી,કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે મૂડી ખર્ચની જરૂરિયાત માટે કરવામાં આવશે. એન્કર…
આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી યુવતીને પોલીસ તરીકે ઓળખ આપી અજાણી જગ્યાએ લઇ ગયા બાદ શખ્સે ૬ લાખના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.શહેરના સરદારનગર વિસ્તારમાં ૨૯ વર્ષિય મોના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) રહે છે. મોના મૂળ જોધપુરની છે અને અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવેલી છે. ૨ ઓગસ્ટના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ મોના ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં…
ભારતીય ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાંસોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનસોમનાથ, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ,બસ નેટવર્ક,ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ,અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. વિશેષ રૂપે શ્રાવણ ૨૦૨૫માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન,જપ,તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ સ્થળે દેશભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની…
સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશેઆગામી સમયમાં જરૂરીયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી અપાશેરાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરીકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રના ખેડુતોની રજુઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો…
પત્નીની હાજરીમાં પતિ અન્ય સ્ત્રી સાથે વીડિયો કોલ કરતોમૃતકના ભાઇએ આરોપી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતીઅમદાવાદ, નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી ત્રસ્ત પત્નીએ એસિડ પી આપઘાત કર્યાે હતો. મૃતકના ભાઈએ બનેવી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગોમતીપુરમાં રહેતા ૨૪ વર્ષીય ઋત્વિક પરમારની મોટી બહેનના લગ્ન ૨૦૨૩માં નિકોલમાં રહેતા દિપેન વણસોલા સાથે થયા હતા. લગ્ન બાદ યુવકની બહેન પતિના ઘરે સાસરીમાં રહેવા ગઈ હતી.દોઢેક વર્ષ સુધી દંપતી વચ્ચે સારા સંબંધો હતા. પતિ ઓછું કમાતો હોવાથી તેણે પત્નીને નોકરી કરવાની ફરજ પાડતા પત્ની નોકરી કરવા લાગી હતી. થોડા મહિના બાદ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની…
ગુજરાત સરકારની પેકેજ યોજના હેઠળ હેન્ડલૂમ સહકારી મંડળીઓને મળે છે હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય,મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાયહાથશાળના વણકરોને ટેકો આપવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છેAhmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના હાથશાળ વણકરોની કારીગરી અને તેમના સમૃદ્ધ વારસાને ટેકો આપીને તેમનું આર્થિક ઉત્થાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટેના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પેકેજ સ્કીમ અમલમાં છે. આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે,જે અંતર્ગત હેન્ડલૂમ…
ઠક્કરનગરમાં રોંગ સાઈડમાં આવતાં વાહનોને પકડવાની ડ્રાઈવ દરમિયાન ચોંકાવનારો બનાવ બન્યો(એજન્સી)અમદાવાદ, રોંગ સાઇડમાં વાહન લઇને આવતા ચાલકે તેના સાગરીતો સાથે મળીને ટ્રાફિક પીએસઆઈને માર મારીને તેને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.વાહનચાલક તેના સાગરીતોને લઇને આવ્યો હતો અને પીએસઆઈ સાથે માથાકૂટ કરીને બજરંગદળના નામે ધમકી આપી હતી. માથાભારે તત્ત્વોએ પીએસઆઇને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપીને લાફા માર્યા હતા જ્યારે તેમનો કોલર પણ પકડી લીધો હતો. આ સાથે ગિન્નાયેલા તત્ત્વોએ તમામ ટ્રાફિકના પોલીસ કર્મચારીઓને નોકરી કેવી રીતે કરી શકો છો તેવી ધમકી પણ આપી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રોંગ સાઇડમાં પસાર થતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસે શરૂઆત…
(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે એક બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો. જેમાં બાળકનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલીના પાવીજેતપુરના રતનપુરમાં રહેતી ઉષાબેન તેના ૩ વર્ષના બાળક વંશ સાથે પિયર આવ્યા હતા.ગઈકાલે સાંજના સમયે દીકરો વંશ મામાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગ પકડી દૂર સુધી લઈ ગયો હતા.આ બાબતની લોકોને જાણ થતાં લોકોએ તેની શોધખોળ કરી હતી. જેમાં નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી બાળક મળી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળ પર બાળકનું મોત થયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં…
મ્યુનિસિપલ પબ્લિસિટી વિભાગે ડિસક્વોલીફાય કંપનીને કરોડો રૂપિયાના પેમેન્ટ ચુકવ્યા(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પબ્લિસિટી વિભાગ તેમની મુળ ફરજમાં હંમેશા નિષ્ફળ સાબિત રહ્યું છે પરંતુ ભ્રષ્ટાચાર કે કૌભાંડ મામલે હંમેશા અવ્વલ રહ્યું છે.પબ્લિસિટી વિભાગમાં કોન્ટ્રાકટરો અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠના કારણે કરોડો રૂપિયાના બીલ બારોબાર ચુકવાઈ જાય છે જેનો હિસાબ મળતા નથી તેવી જ રીતે કેટલાક કિસ્સામાં ડિસક્વોલીફાય પાર્ટીને કામ સોપ્યા બાદ ઉચ્ચ કક્ષાએથી મનાઈ કરવામાં આવી હોવા છતાં પેમેન્ટ થઈ જાય છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં સુરતની ડિસક્વોલિફાય કંપની બારોબાર કરોડો રૂપીયાનું પેમેન્ટ થઈ ગયુ છે.મ્યુ.પબ્લિસિટી વિભાગ દ્વારા હો‹ડગ્સ-ફ્લેક્ષ પ્રિન્ટિંગ માટે ટેન્ડર જાહેર કરવામા આવ્યા છે જેમાં…
