(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે પાડોશીના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ૨૦ વર્ષના યુવકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક સુફિયાનને આર્યન આરીફ ખલીફા અને અન્ય ચાર અજાણ્યા લોકોએ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. આ પાંચેય આરોપીઓ હાલ ફરાર છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સુફિયાનના ઘર પાસે પાન મસાલા થૂંકતા સુફિયાનના પિતા સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપીઓએ સુફિયાનના પિતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. પોતાના પિતાને બચાવવા માટે સુફિયાન વચ્ચે પડ્યો ત્યારે આરોપીઓએ તેના પર ચપ્પા વડે અનેક વાર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.ઘાયલ સુફિયાનને તાત્કાલિક સારવાર અર્થે…
Author: gujarat
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, શહેરીકરણની સાથે સાથે બહોળા પ્રમાણમાં વધતા જતા વાહન વ્યવહારને કારણે અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદુષણનું પ્રમાણમાં અસામાન્ય વધારો થયો છે. શહેરના કુલ ધ્વનિ પ્રદુષણમાં ૭૦% જેટલો હિસ્સો વાહન વ્યવહાર એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો હોવાથી ધ્વનિ પ્રદુષણને શક્ય તેટલુ ઓછુ કરવાના ભાગરૂપે ૭ ફ્લાયઓવર પર સાઉન્ડ બેરીયર લગાવવામાં આવશે. જેના માટે રૂ.૨૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા હયાત ફ્લાયઓવર બ્રીજ (૧) સોનીની ચાલી બ્રીજ (૨) અંજલી બ્રીજ (૩) બોપલ બ્રીજ (૪) જીવરાજપાર્ક બ્રીજ (૫) આઈ.આઈ.એમ બ્રીજ (૬) ગુજરાત કોલેજ બ્રીજ (૭) રાણીપ ફ્લાય- ઓવર પર સાઉન્ડ બેરીયર લગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં (૧)…
મૃતક પોલીસ કોન્સ્ટેબલ મૂળ રાજકોટના જસદણના વતની-૯ વર્ષના દીકરાની સામે માતા-પિતાના મોત-પતિના માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા(એજન્સી)અમદાવાદ, અમદાવાદ દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ કરી પોતાના જ પતિ ની હત્યા. પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર છ ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારના કારણે મુકેશ પરમાર લોહી લુહાણ થઈ ગયા…
(એજન્સી)તાલાલા, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે ઝૂંપડામાં સુતેલા ૨ વર્ષીય માસુમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.જે પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ખોડિયારની ધાર પાસે આવેલા દેવીપૂજક સમાજની વસાહતમાં બની છે,જ્યાં છેલ્લા ૩૫ વર્ષથી લોકો ઝૂંપડા બનાવીને રહે છે. મૃતક બાળકની ઓળખ રાજવીર ભુપતભાઈ સોલંકી તરીકે થઈ છે, જે માત્ર બે વર્ષનો હતો. ઘટનાની રાતે, આશરે રાત્રે ૧ વાગ્યાના સમયે દીપડાએ ખુલ્લા ઝૂંપડામાં સૂતા રાજવીર પર અચાનક હુમલો કર્યો અને તેને ઊંચકીને લઈ ગયો. દીપડાના હુમલાથી રાજવીરના પિતાની ઊંઘ તૂટી જતા તેમણે તરત જ દીપડા…
રાજકોટમાં ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું સામે આવ્યુંરાજકોટ, રાજકોટની એક ફોઈ હાલ ચર્ચામાં છે. રાજકોટમાં ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં ખુદ ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું ખૂલ્યું છે. વારસાઈ મિલકતમાં હિસ્સો લેવા માટે ફોઈએ આખું ષડયંત્ર રચ્યું હતુ. આ અપહરણમાં વકીલ સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી છે.પ્રદ્યુમનનગર પોલીસે ફોઈ રીમા માખાણીની અટકાયત કરી છે. મિલકતમાંથી ભાઈએ બહેનનું નામ કાઢી નાંખતા વિવાદ ચાલતો હતો. જોકે, હવે ફઈ-ભત્રીજી વિવાદ મામલે પોલીસે આરોપી વકીલની અટકાયત કરી છે.રાજકોટ શહેરમાં હાઈ પ્રોફાઇલ ચકચારી ઘટના સામે આવી હતી. ૬ વર્ષની બાળકીને ફોઈ ઉપાડી લઈ જઈ ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. ગત ૨૪ જુલાઈના રોજ…
પિતા પ્રજ્ઞેશ પટેલ ની ધરપકડ કરી હતી અને જેલ ભેગા કરેલા હતા ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તથ્ય પટેલ સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતોઅમદાવાદ, અમદાવાદમાં તેજ રફ્તારમાં કાર ચલાવીને ૯ લોકોના ભોગ લઇ લેનારા તથ્ય પટેલ કોઇપણ ભોગે જામીન મેળવવા અને જેલમાંથી બહાર આવવા હવાતિયાં મારી રહ્યો છે.જામીન મેળવવા માટે આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. તથ્ય પટેલે અગાઉ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પણ ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી પરિણામે તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ બાકી હોવાથી જામીન આપવા તેણે માંગ કરી હતી.અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત…
દીકરાની સગાઈ કરવા પહોંચ્યા અને પિતાનું થયું મોત -પહેલા દીકરાના પિતા ભીખાભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતુંરાજકોટ, હાર્ટ એટેકના કેસ અને તેનાથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યાં છે.રાજકોટમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે લાલપરી-૨મા રહેતા ભીખાભાઈ જકશીભાઈ બારીયા (ઉંમર વર્ષ ૫૨) દીકરાની સગાઈ કરવા માટે જોડીયા ગામે ગયા તો વેવાઈના ઘરે હાર્ટ એટેક આવી ગયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર મોરબી રોડ જકાતનાકા પાસે રહેલા ભીખાભાઈ બારીયા રવિવારે…
ડોક્ટરોના પ્રયાસ બાદ દીકરીનો જીવ બચી જતાં માતાની આંખમાં આસું આવી ગયા હતાઅમદાવાદ, અમદાવાદઃ વડગામના ખેડૂત દંપતીની ૨ વર્ષની દીકરી જેન્સી સોલંકી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીના દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું.ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે સફળ સર્જરી કરીને બાળકીને નવી જિંદગી આપી. ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.આ કેસ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ તેમજ પીડિયાટ્રિક સર્જરી વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના ખેડૂત દંપતી મોતીભાઈ…
આખી પેનલે ૧૧ હજારથી વધુની લીડ મેળવીગુજરાત તેમજ મુંબઈમાં મળી કુલ ૫૮ શાખાઓ ધરાવતી બેન્કની ચૂંટણી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો હતોમહેસાણા,રાજ્યમાં બીજા ક્રમની સહકારી અને મલ્ટીસ્ટેટ શિડ્યુલ્ડ બેન્કનો દરજ્જો ધરાવતી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ.ના ૮ ડિરેક્ટરો માટેની પેટાચૂંટણીમાં વિકાસ પેનલને પછાડીને વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારોનો ૧૧ હજારથી વધુ મતથી ભવ્ય વિજય થતાં ઈતિહાસમાં પ્રથમવાર બેન્કની સત્તામાં પરિવર્તન આવ્યું છે.ગુજરાત તેમજ મુંબઈમાં મળી કુલ ૫૮ શાખાઓ ધરાવતી બેન્કની ચૂંટણી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો હતો અને ૬ સામાન્ય, એક મહિલા અને એક SC-ST કેટેગરીની એમ કુલ ૮ બેઠકો માટે કુલ ૬૯…
Rahul Gandhi News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બુધવારે જામીન મળ્યાં. ઝારખંડના ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતા. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો. વિવાદ ક્યારે શરૂ થયો? આ વિવાદની શરૂઆત રાહુલ ગાંધીના 28 માર્ચ 2018માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે 9 જુલાઈ 2018ના રોજ પ્રતાપ કટિહારે ચાઇબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ થયો હતો આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતા પણ રાહુલ ગાંધી કોર્ટમાં…
