Author: gujarat

Gujarat Farmers Debt: ખેડૂતોની આવક બમણી થશે તેવા વચન-વાયદા કરવામાં આવ્યા હતાં તે હવે ખોટા સાબિત થયા છે. ખેડૂતોની આર્થિક સ્થિતી દીને દીને કથળી રહી છે જેના કારણે તેઓ દેવુ કરવા મજબૂર બન્યાં છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે રૂ. 56,568નું દેવુ છે. ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો ખેતી કરવી હવે મોંઘી બની રહી છે. કેમકે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવ વધ્યાં છે. તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય, વાવાઝોડુ આવે તો પાકને નુકસાન થાય. ખેડૂતોની માંગ છતાંય હજુય પાક ઉત્પાદનના પુરતા ભાવ મળતાં નથી. આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશનમાં હવે અધિકારીઓએ પણ અપનાવ્યો ‘સમીક્ષા ઉપક્રમ’,અંબાજી પહોંચ્યા પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર‘સ્વચ્છતા અને સુરક્ષા’ ના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છેપ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે અંબાજીમાં અધિકારીઓની સાથે શ્રેણીબદ્ધ મીટિંગો કરીરીંછડિયા મહાદેવ અને તેલિયા ઇકો ટ્રેલના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરીને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યાAmbaji, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ અધિકારીઓએ પણ અપનાવવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે પ્રસિદ્ધ યાત્રાધામ…

Read More

પતિ લીગલ ઓથોરિટીમાં રૂપિયા જમા કરાવે ત્યારબાદ ફરિયાદ રદ થશેપતિ ઇચ્છતો હતો કે પત્ની પરત આવે, પરંતુ પત્ની તેમ કરવા માગતી ન હોવાથી તેને બદનામ કરવા પતિએ વીડિયો વાયરલ કર્યા હતાઅમદાવાદ , પત્નીના અંગત પળોના વીડિયો વાયરલ કરનારા પતિને હાઇકોર્ટે રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ રૂપિયા ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી સમક્ષ એક અઠવાડિયામાં જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ રૂપિયા જમા થયા બાદ જ સંબંધિત મામલે થયેલી ફરિયાદ રદ કરવામાં આવશે. વડોદરા રહેતા એક પતિએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી અને તેની સામે તેના જ પત્નીએ કરેલી ફરિયાદ રદ કરવાની દાદ માગી હતી.જેમાં એવો દાવો કરવામાં આવ્યો…

Read More

World Breastfeeding Week: બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેના માટે ‘હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદ સમાન હોય છે. ગુજરાતમાં કાર્યરત્‌ ‘મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 19,731 બાળકોને લાભ અપાયો છે. માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી…

Read More

રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી બેફામ બનીથોરાળા પોલીસને મીરા ઉદ્યોગનગરના ખુલ્લા પ્લોટમાંથી એક ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવીરાજકોટ, રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી બેફામ બની છે. થોરાળા અને મેટોડા વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોની હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે.થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના મીરા ઉદ્યોગનગરના ખુલ્લા પ્લોટમાંથી એક ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે યુવકના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી છે.ચોંકાવનારી વાત એ છે કે મૃતકનું પેન્ટ અડધે સુધી ઉતરેલી હાલતમાં હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કદાચ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ઈરાદે કે પછી તેવા કૃત્ય દરમિયાન…

Read More

કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર૫ ઓગસ્ટ,૨૦૨૫:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ મોટાAB-320પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને ૨૫૦૦ મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે.AAIએ અંદાજિત રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે ૫ ઓગસ્ટ,૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.મંત્રીના નિવેદન મુજબ,રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં…

Read More

મંડળીઓને ૧૦ ટકા ડિવિડન્ડ પણ અપાશેપશુપાલકોને ચાફકટર, પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરેમાં મળતી સબસીડી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરાઈમહેસણા, મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ની સોમવારે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અશોકભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકોને વર્ષાતે મળતા દૂધના ભાવફેરની રકમ ઐતિહાસિક રૂ.૪૩૭ કરોડ જાહેર કરી હતી. જે સાથે દૂધ મંડળીઓને ૧૦ ટકા શેર ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી.મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ની સોમવારે મળેલી વાર્ષિક સાધારણમાં જાહેરાત કરાઇ હતી કે પશુપાલકોને ચાફકટર, પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરેમાં મળતી સબસીડી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરાઈ છે. તો દૂધ ઉત્પાદકોના વીમાની રકમ મૃત્યુના…

Read More

વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગેંગ વોર અને ગુનાખોરી યથાવતવેજલપુર પોલીસે કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો તાહીર ખલીફા, તારીક ખલીફા,અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, અકરમ મણીયારની ધરપકડઅમદાવાદ, વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી વધી રહી છે. આ વિસ્તારના ગુનેગારોને સ્થાનિક પોલીસનું પીઠબળ હોવાની ચર્ચા છે તેવામાં જુહાપુરામાં હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. જુહાપુરાના સંકલિતનગરમાં ઘરના પગથિયા આગળ પાનની પિચકારી મારવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર બાદ મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ૧૯ વર્ષીય યુવકને ઉપરાઉપરી છરી ઝીંકી ઢાળી દીધો હતો.વેજલપુર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. જુહાપુરામાં રહેતા મોહમંદસફી શેખ અને તેમનો ૧૯ વર્ષીય પુત્ર સુફિયાન…

Read More

ગુજરાતમાં રાજ્ય બહાર થી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓ માટેની સઘન ચકાસણી અર્થે રાજ્ય સરકાર SOP તૈયાર કરશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલSOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્યઆ પ્રકારની દવાઓ રાજ્યમાં પ્રવેશતી અટકાવવા અને આવે તો તુરંત પકડી પાડવા રાજ્ય સરકાર વડોદરાની લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાયુક્ત દવાઓ અને ખોરાક મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના ફુડ એન્ડ ડ્રગ્સ યુનિટ સતત કાર્યરત છે. તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય…

Read More

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના શ્રીમતી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ(પ્રતિનિધિ અમદાવાદ) ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીકની વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ની મુલાકાત લીધી હતી.મંત્રી એ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલ આ કન્ટેનર બનાવટી કંપની હાલ ઓર્ડર…

Read More