ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા કૃષિ મંત્રીની અપીલગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના ૬૧ ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસિડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે.ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા…
Author: gujarat
શહેરમાં ૪૦ વર્ષથી વધુ જુની ૧૧૦ કિ.મી.ની ડ્રેનેજ લાઈન રૂ.૧૭૦૦ કરોડના ખર્ચથી રીહેબ કરવામાં આવશે(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વર્ષો જુની ડ્રેનેજ સીસ્ટમ હોવાના કારણે નાગરિકોને પારાવાર હાલાકી થાય છે જે બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ૪૦ વર્ષ કે તેથી વધુ જુની અંદાજે ૧૧૦ કિ.મી. લંબાઈની ડ્રેનેજ લાઈન બદલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદમાં ૪૦ વર્ષ કે તેથી વધુ જુની અંદાજે ૧૧૦ કિ.મી.કરતા વધુ ડ્રેનેજ લાઈનો છે જે પૈકી ૪૯.૯ કિ.મી.ની ડ્રેનેજ લાઈનો કાટ અને ગેસના કારણે લગભગ ખવાઈ ગઈ છે જેને કારણે અવારનવાર બ્રેક ડાઉનની સમસ્યા રહે છે.આ ઉપરાંત ઘણી જગ્યાએ ડ્રેનેજ બેકીગની સમસ્યા…
પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો(માહિતી)દાહોદ, દાહોદ જિલ્લામાં નવું નજરાણું તરીકે ઊભરી આવેલા આદિજાતિ મ્યુઝિયમ ખાતે દાહોદ પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાનું એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેનુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેની નીતિ આયોગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.આ સંદર્ભે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, આકાંક્ષી જિલ્લા તરીકે દાહોદની પસંદગી નીતિ આયોગ દ્વારા કરવામાં આવી હતી. અપાયેલા ૬…
દાદરા અને નગર હવેલીમાં ૭૨મા મુક્તિ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈસેલવાસ, બીજી ઓગસ્ટના દિવસે દાદરા અને નગર હવેલીનો ૭૨મો મુક્તિ દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. આ સમારંભના મુખ્ય મહેમાન, દાદરા અને નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયંક કિશોરે ધ્વજવંદન અને રાષ્ટ્રગીત સાથે ૭૨મા મુક્તિ દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યના પોલીસ વિભાગ, રિઝર્વ બટાલિયન, ફાયર વિભાગ અને હોમગાર્ડના જવાનોએ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત સાથે સલામી આપી.આ પછી, માનનીય કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું. પોતાના પ્રમુખપદના ભાષણમાં, જિલ્લા કલેક્ટરે દાદરા અને નગર હવેલીને ૭૨મા મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવતા, દાદરા અને નગર હવેલીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડ્યો અને આ…
રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે079-23256080હેલ્પલાઈન નંબર જાહેરખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશેરાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ,જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા079-23256080હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત,ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ…
હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતમાંVCEમદદરૂપ થશેપ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતું ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકાશેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDYહેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાંPMજન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો…
સુરતની ૧૮ સુમન શાળાઓમાં મનપાનો પાઇલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ‘સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ટેક્નો-સ્ટાર્સ: સ્માર્ટ ક્લાસમાં મેળવે છેAI,ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજરક્ષા ક્ષેત્રે,કૃષિ,હેલ્થકેર,મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ૧૨ AI લેબ્સમાં ૧૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ: 3D, AR/VRઅનેAIહવે અભ્યાસનો હિસ્સો સુરત, આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેક્નોલોજી અને ઈનોવેશનનો સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે.ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરોમહાનગરપાલિકા સંચાલિત ધો.૯ થી ૧૨ સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્ય. શાળાઓમાં 3D,…
‘રક્ષાબંધન’ નિમિતે બાળકો ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી ‘ઇકો ફ્રેન્ડલી રાખડી’ તૈયાર કરી શકે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજાઈભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી‘ગીર‘ફાઉન્ડેશન,ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી. જેમાં ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલા અંદાજે ૪૦ થી ૫૦ જેટલા બાળકો સહિત તેમના વાલીઓ અને યુવાનોએ પણ આ એક્ટિવિટીમાં સહભાગી થઇને અલગ અલગ પ્રકારની ઇકો ફ્રેન્ડલી સુંદર રાખડીઓ તૈયાર કરી હતી.નાગરીકોને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા,પર્યાવરણ પ્રત્યે સવાંદનશીલતા લાવવા અને‘મિશન લાઈફ‘ના ઉદ્દેશને સાકાર કરવા…
દરિયાના ભરતીના સમયે, સમુદ્ર પોતાના જળથી શિવલિંગનો જળાભિષેક કરે છે. આ અજાયબી તથા ચમત્કારિક પ્રસંગ ભક્તોમાં વિશેષ આસ્થા પ્રગટાવે છેભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે મુખ્યમંત્રીએ દર્શન કર્યા-યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્તંભેશ્વરમાં યાત્રી સુવિધાના બે કરોડ રૂપિયાના કામો થયા છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો.તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં…
ભાવનગરટર્મિનસ-અયોધ્યાકેન્ટઉદ્ઘાટનએક્સપ્રેસનુંમહેસાણામાંભવ્યસ્વાગત કરાયુંહવે મહેસાણાના રહેવાસીઓ સોમવારે સાંજે આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે અને મંગળવારે અયોધ્યા પહોંચી શકશે,મંદિરના દર્શન કરી શકશે અને રાત્રે તે જ ટ્રેનમાં પાછા ફરી શકશે.માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા મહેસાણા સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.આજે3ઓગસ્ટ2025ના રોજ ભાવનગર ટર્મિનસ –અયોધ્યા કેંટ એક્સપ્રેસ નો શુભારંભ માનનીય કેન્દ્રીય રેલ,સૂચના,તથા પ્રસારણ,ઇલેક્ટ્રોનિક તથા સૂચના ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ,માનનીય કેન્દ્રીય શ્રમ,રોજગાર,યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા,તથા માનનીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયા,દ્વારા ભાવનગર ટર્મિનસ થી લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું…
