અમદાવાદ,૦૯ડિસેમ્બર,૨૦૨૫:બંધન બેંકે તેની સીએસઆર પહેલના ભાગ રૂપે,ભારતભરમાં આપત્તિ સમયે તબીબી સેવાઓની પહોંચ સુધારવા અને વિવિધ સમુદાયો માટે આરોગ્યસંભાળ સેવાઓને વધુ સારી બનાવવા માટે દેશભરમાં ૧૦ સંપૂર્ણ સજ્જ એમ્બ્યુલન્સ દાનઆપીછે,જેમાં બે ગુજરાતનો સમાવેશ થાય છે.
બેંકના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જાહેર કરવામાં આવેલી આ પહેલ,હવે એમ્બ્યુલન્સના દાન સાથે અમલમાં મૂકવામાં આવી છે.આ પહેલ બેંકની આરોગ્યસેવાઓની પહોંચ અને સેવાઓની ઝડપી પ્રતિક્રિયા સુધારવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે,જેની મદદથી રોગીઓને આપત્તિના સમયમાં સમયસર તબીબી સહાય મળી શકે તેની ખાતરી થાય છે.સંપૂર્ણ સજ્જ એમ્બ્યુલન્સ ગુજરાતમાં સુમનદીપ વિદ્યાપીઠ (વડોદરા) અને શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન (ખેડા) ને દાનમાં આપવામાં આવી હતી.
આ એમ્બ્યુલન્સ દેશભરની સંસ્થાઓને દાનમાં આપવામાં આવ્યા છે,જેમાં બેંગલુરુ,અહમદનગર,ખેડા,વડોદરા,દિલ્હી,જયપુર,અકબરપુર,જલંધર,કોલકાતા અને સીકંદરાદની નામાંકિત તબીબી સંસ્થાઓ અને આરોગ્યસંભાળ સંગઠનોનો સમાવેશ થાય છે.બહુવિધ રાજ્યોમાં આરોગ્યસંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને હોસ્પિટલોને ટેકો આપી,બેંક મજબૂત,તંદુરસ્ત અને સ્થિતિસ્થાપક સમુદાયોના નિર્માણમાં ફાળો આપી રહી છે.
બંધન બેંકના એમડી અને સીઇઓ શ્રી પાર્થ પ્રતિમ સેનગુપ્તાએ કહ્યું, “બંધન બેંકમાં,અમે દૃઢતાપૂર્વક માનીએ છીએ કે ગુણવત્તાપૂર્ણ આરોગ્યસેવાઓ સુધી પહોંચ એ એક મૂળભૂત અધિકાર છે,વિશેષાધિકાર નથી.આ પહેલ દ્વારા,અમે આપત્તિ સમયની તબીબી સેવાઓ મજબૂત કરવા અને વિવિધ સમુદાયોને સેવા પૂરી પાડતા હોસ્પિટલોને ટેકો આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.
સમાવેશી વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતા બેન્કિંગથી આગળ છે,તે સમગ્ર ભારતમાં વધુ મજબૂત સમુદાયોને સક્ષમ કરવાની છે.આ પહેલ દ્વારા,અમે લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ,જેથી જરૂરિયાતના સમયે સમયસર તબીબી સહાય સુલભ થઈ શકે.”
બંધન બેંકના સીએસઆર કાર્યક્રમોએ ૧૪ રાજ્યોના ૮૨ જિલ્લાઓમાં ૨૫ લાખથી વધુ પરિવારો સુધી પહોંચ કરી છે,જેમાં આરોગ્યસંભાળ,શિક્ષણ,રોજગારી અને હવામાન સ્થિતિસ્થાપકતા ક્ષેત્રે મહિલાઓ અને ગ્રામીણ સમુદાયો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ પહેલ દ્વારા,બંધન બેંક સામાજિક જવાબદારી અને સમુદાય વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવવાનું ચાલુ રાખે છે.

