ભરૂચમાં કુલ1394જેટલા ઉદ્યોગો,જેમાંથી45%કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી
USD 986 મિલિયનથી વધુ અમેરિકી નિકાસઅને23.5%થી વધુ રાષ્ટ્રીય ફાળો સાથે ભરૂચ બન્યું કેમિકલ કેપિટલ
અમદાવાદ, ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેમાં ભરૂચ જિલ્લો કેમિકલ તથા પેટ્રોકેમિકલ ઉદ્યોગના ક્ષેત્રમાં દેશના અગ્રણી હબ તરીકે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ,સાયખા અને વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વિશ્વકક્ષાના કેમિકલ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયો છે. નાના,મધ્યમ અને મોટા ઉદ્યોગ એકમોની વ્યાપક હાજરીને કારણે અહીં અદ્યતન ઉત્પાદન ક્ષમતા વિકસેલી છે,જેના પરિણામે આ વિસ્તારને “ભારતનું કેમિકલ કેપિટલ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પ્રગતિને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે,આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાત2026નું આયોજન સુરત ખાતે થવા જઈ રહ્યું છે.VGRCગુજરાત રાજ્યનું મહત્વપૂર્ણ પ્રાદેશિક મંચ છે,જ્યાં ઉદ્યોગ,વેપાર અને નવીનતાના ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો,રોકાણકારો અને નીતિનિર્માતાઓ એકત્રિત થશે. આ મંચ દ્વારા વિસ્તૃત રોકાણ,ટેકનોલોજીકલ સહકાર અને વૈશ્વિક ભાગીદારી માટે નવી તકો ઊભી થશે,જેના પરિણામે રાજ્યના ઉદ્યોગ વિકાસને નવી ગતિ મળશે.
ભરૂચ જિલ્લામાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ,ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડિયેટ્સ,ડાયઝ અને પિગમેન્ટ,એગ્રોકેમિકલ્સ અને પેસ્ટિસાઇડ,ટેક્સટાઇલ અને ફાઇબર સહિતના વિવિધ સબ-સેક્ટર્સમાં કુલ1394જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. તેમાંના45%થી વધુ કેમિકલ યુનિટો અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ,સાયખા અને વિલાયત જેવી ઔદ્યોગિક વસાહતોમાં સ્થિત છે,જ્યાંથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે લગભગ2લાખ લોકોને રોજગારી મળી રહી છે.
ઉદ્યોગ વિકાસ પાછળના મુખ્ય પરિબળો
વિતરણ,માર્ગ,શક્તિ,પાણી અને માનવબળ જેવી આધારભૂત સુવિધાઓ સાથે રાજ્ય સરકારની અનુકૂળ નીતિઓએ ભરૂચનું ઉદ્યોગ પર્યાવરણ મજબૂત બનાવ્યું છે. આ ઔદ્યોગિક પ્રગતિમાંMSMEઅને મોટી કંપનીઓ બંને યોગદાન આપી રહ્યા છે,જે સ્થાનિક રોજગારી વધારવાના સાથે દેશને નિકાસમાં પ્રતિષ્ઠિત સ્થાન અપાવી રહ્યા છે.
રાજ્ય અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન
ભરૂચ જિલ્લો આજે ભારતના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ “ગ્રોથ એન્જિન” તરીકે ઉભરી આવ્યો છે અને ખાસ કરીને કેમિકલ ક્ષેત્રમાં ભરૂચ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે. દેશના કુલ કેમિકલ નિકાસમાં અંદાજે19 %કરતાં વધુ ફાળો ભરૂચ જિલ્લો આપે છે,જ્યારે ગુજરાત રાજ્યએ છેલ્લા વર્ષે ભારતના કુલ કેમિકલ નિકાસમાં45%જેટલો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડ્યો છે,જે રાજ્યના મજબૂત ઔદ્યોગિક આધાર અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું પ્રતિબિંબ છે.
ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નિકાસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. અહીં ઉત્પાદન થતા વિવિધ કેમિકલ ઉત્પાદનો અમેરિકા,બ્રાઝિલ,જાપાન,નેધરલેન્ડ વગેરે દેશો તેમજ દક્ષિણ આફ્રિકા જેવા વૈશ્વિક બજારોમાં નિકાસ થાય છે અને વિશ્વભરના ગ્રાહકો તરફથી ઊંચી માન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે.
VGRC:ભવિષ્યના ઉદ્યોગ દિશાદર્શક મંચ

