બજારમાં ઊંચી માંગ ધરાવતી વિદેશી શાકભાજી જેવી કે: પર્પલ કોબી (લાલ કોબીજ), કોહલરાબી (ગાંઠકોબી), બ્રોકોલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડે છે,
ભાવનગર: ખેતીમાં જ્યારે પરંપરાગત પદ્ધતિની સાથે આધુનિક અને પ્રાકૃતિક અભિગમ ભળે છે ત્યારે કેવું ઉત્તમ પરિણામ મળે છે તેનું જીવંત ઉદાહરણ ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે. વાવડી ગામના ખેડૂત જેન્તિભાઈ ચૌહાણે છેલ્લા આઠ વર્ષથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આજે તેઓ વિદેશી શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે.
જેન્તિભાઈ પોતાના ખેતરમાં માત્ર સ્થાનિક પાકો જ નહીં, પરંતુ બજારમાં ઊંચી માંગ ધરાવતી વિદેશી શાકભાજી જેવી કે:
આ તમામ શાકભાજીઓ તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી (Natural Farming) પદ્ધતિથી ઉગાડે છે, જેમાં કોઈ પણ પ્રકારના ઝેરી જંતુનાશકો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
તેમના ખેતરમાં તૈયાર થયેલી આ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત શાકભાજીનું વેચાણ અમદાવાદ તેમજ ભાવનગરના ‘અમૃત બજાર’ માં કરવામાં આવે છે. કેમિકલ મુક્ત શાકભાજી હોવાને કારણે ગ્રાહકો તેને હોંશે હોંશે ખરીદે છે, જેના કારણે જેન્તિભાઈને વર્ષ દરમિયાન નિયમિત અને સંતોષકારક આવક મળી રહે છે.
જેન્તિભાઈની આ સફળતા દર્શાવે છે કે જો ખેડૂત બજારની માંગને સમજીને નવીનતા અપનાવે, તો ખેતી ચોક્કસપણે નફાકારક વ્યવસાય બની શકે છે. પ્રાકૃતિક ખેતીથી માત્ર ગ્રાહકોનું સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ખેડૂતની આર્થિક સ્થિતિ અને જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાય છે.

