ગાંધીનગર, ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ,૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
જ્યારે તા.૨૩ એપ્રિલ,૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે,૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા,કર્ણાટક,મહારાષ્ટ્ર,નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.૩૦ માર્ચ,૨૦૨૬ થી તા.૦૬ એપ્રિલ,૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ,૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન; ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, સાદગી અને જનસેવા માટે જાણીતા હતા

