પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ રેલખંડોમાં રેલવે લાઇન ઉપર25,000વોલ્ટ (25કિલોવોલ્ટ)ના ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE)હાઇ-વોલ્ટેજ તાર સ્થાપિત છે. ઘણીવાર જોવા મળે છે કે પતંગ ઉડાવતી વખતે દોરી આ તારાઓમાં ફસાઈ જાય છે.
કેટલીક દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે,જેના કારણે કરંટ નીચે સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિ પતંગ ઉડાવનાર વ્યક્તિઓ,રેલવે ટ્રેકની નજીકથી પસાર થનારા નાગરિકો તથા ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
•અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન
અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,જેના અંતર્ગત રેલવે પાટા આસપાસ રહેતા નાગરિકોને કાઉન્સેલિંગ દ્વારા જરૂરી સાવચેતીઓ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મંડળ દ્વારા જાહેર કરાયેલ મુખ્ય સૂચનાઓ અને અપીલ:
રેલ પ્રશાસન તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ પોતે સાવચેત રહે અને અન્યને પણ જાગૃત કરે,જેથી ઉત્તરાયણ પર્વ સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવી શકાય. તમારી સાવચેતી માત્ર તમારી જ સુરક્ષા નહીં,પરંતુ અન્યના જીવનની પણ રક્ષા કરે છે.

