23 ટ્રેનોના મુસાફરી સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો-85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે
અમદાવાદમંડળનાવિવિધસ્ટેશનોપરથીચાલતી/પસાર થતીટ્રેનોનાસમયમાંફેરફાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આવનારી 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસૂચિ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે, જેના પરિણામે આ ટ્રેનો પોતાની વર્તમાન નિર્ધારિત સમય પહેલાં જ ગંતવ્ય પર પહોંચશે.
આ વખતે અમદાવાદ મંડળમાંથી પસાર થતી 85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે તેમજ 23 ટ્રેનોના મુસાફરી સમયમાં 05 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. તેનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓને પોતાના ગંતવ્ય પર પહોંચવામાં સમયની બચત થશે.
અમદાવાદ ડિવિઝન પર આ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર 110 ટ્રેનોના સમયને પ્રીપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો પોતાના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધી વહેલી આવશે. તેવી જ રીતે 57 ટ્રેનોના સમયને પોસ્ટપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો પોતાના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધી મોડી આવશે.
અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, જેમાં આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિત સમય કરતાં પહેલાં અથવા પછી પહોંચશે. જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોની વિગતો નીચે આપવામાં આવી છે:-
પ્રારંભિકસ્ટેશનથીસમયપહેલાંઉપડતીકેટલીકમહત્વપૂર્ણટ્રેન
પ્રારંભિકસ્ટેશનપરથીમોડીપ્રસ્થાનકરતીકેટલીકમુખ્યટ્રેનો
ટર્મિનલસ્ટેશનપરસમયપહેલાંઆગમનકરતીકેટલીકટ્રેનો
ટર્મિનલસ્ટેશનપરસમયપછીઆગમનકરતીકેટલીકટ્રેનો
અમદાવાદમંડળપરવિવિધસ્ટેશનોપરબદલાયેલાસમયનીવિગતો

