કોઈ કેસ સફળતાપૂર્વક દાખલ થવા પર ઓટોમેટેડ મેસેજ પ્રાપ્ત થશે. તેમાં નોંધાયેલા કેસોમાં રજિસ્ટ્રી દ્વારા ચિહ્નિત કરાયેલા વાંધાઓ અંગેની સૂચનાઓ પણ સામેલ છે. વેબસાઇટ પર ઉપલબ્ધ ઓર્ડર અને નિર્ણયો પણ WhatsApp દ્વારા મોકલવામાં આવશે. તેની સાથેજ વકીલોને આ એપ પર ઈલેક્ટ્રોનિક ફાઈલિંગ, કોઝલિસ્ટ ઓર્ડર અને જજમેન્ટ સંબંધિત નોટિફિકેશન પણ મળશે. પરંતુ હવે આવે છે એવો સવાલ કે શું આપણે આ નંબર પર સામાન્ય નંબરોની જેમ વાત કરી શકીએ? જવાબ છે ના. કારણ કે આ વન-વે કમ્યુનિકેશન નંબર છે. મતલબ માત્ર ઇનકમિંગ મેસેજ. આ નંબર પરથી કોઈ જવાબ નહીં મળે અને કૉલ બેક જેવી કોઈ સુવિધા પણ નહીં હોય.