અંબાજી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો-ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી: મંદિરના વહીવટદાર કૌશિક મોદી સાથે હાથાપાઈ કરી હતી
પાલનપુર, યાત્રાધામ અંબાજી ખાતે ગત તા.૯ ફેબ્રુઆરીએ અંબાજી કોલેજના પૂર્વ પ્રિÂન્સપાલ મોદનાથ મિશ્રાએ અંબાજી મંદિર ટ્રસ્ટની અધિક કલેકટર અને વહીવટદારની કચેરીમાં ભારે ધાંધલ-ધમાલ કરી હતી,
સાથે અધિક કલેકટરને મંદિરના વહિવટદાર કૌશિક મોદી સાથે હાથપાઈ કરી ગળું દબાવી જીવલેણ હુમલો થયાની ઘટના બની હતી. જેમાં અધિક કલેકટર કૌશિક મોદી ગંભીર રીતે ઘવાયા હતા. તે બાબતે અધિક કલેકટરે અંબાજી પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો થયા મામલે ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસે પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાની ધરપકડ કરી દાંતા કોર્ટમાં રજૂ કર્યા હતા.
જ્યાં દાંતાની સિવિલ કોર્ટે મોદનાથ મિશ્રાના જામીન અરજી ફગાવી દેવાતા મોદનાથ મિશ્રાને પાલનપુરની સબ જેલ ભેગા કરવામાં આવ્યા હતા જયાં પાલનપુરની સબ જેલમાં રહેલા મોદનાથ મિશ્રાના વકીલ દ્વારા ફરી પાલનપુરની ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી
જેને લઈ ડિસ્ટ્રીકટ કોર્ટે ફરી આ મોદનાથ મિશ્રાની કોર્ટે જામીન અરજી ફગાવી દેવાતા મોદનાથ મિશ્રા ફરી જેલ ભેગા કરી દેવાતા અધિક કલેકટરના જિલ્લાના હુમલા મામલે ગુન્હાનો ગાળિયો વધુ મજબુત બન્યો છે.
જોકે આ મોદનાથ મિશ્રા સામે અંબાજીની કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે હતા ત્યારે મહિલા પ્રધ્યાપીકાઓને જાતીય સતામણી જેવી ફરિયાદો થવા પામી હતી. પાટણ યુનિવર્સિટી દ્વારા મહિલા વિમેન્સ કમિટી દ્વારા કરાયેલી તપાસમાં પ્રધ્યાપીકાઓને જાતીય સતામણી ના પુરાવા સાબિત થયા હોવાનું જાણવા મળેલ છે. જોકે આ મોદનાથ મિશ્રા સામે અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા હોવાનું પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

