સુરત, રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન જવાની ભારે ઘેલછા જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ જાણે માનવ મહેરામણ ઊમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે લાખો લોકો કોઈપણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે. રેલવે સ્ટેશનની સ્થિતિ એટલી વિકટ છે કે જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. દર વર્ષે હોળીના પર્વે લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે ઉધના સ્ટેશન પર મુસાફરોનો ધસારો એટલો વધી ગયો છે કે ત્યાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રમિકોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા અનેક સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં પેસેન્જરોની સંખ્યા સામે આ વ્યવસ્થા ઓછી પડી રહી છે. હાલની સ્થિતિએ:
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને બિનજરૂરી જોખમ ન ખેડે, છતાં વતન પહોંચવાની ઉતાવળમાં સ્ટેશન પર ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે.

