Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ‘વાઘ બકરી- એએમએ સેન્ટર ફોર ગવર્નન્સ’ના ઉપક્રમે “આઈડિયા ટુ ઈમ્પેક્ટ” થીમ પર સીએસઆર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વિવિધ પાસાઓ પર અનેક સત્રો અને વક્તાઓ દ્રારા ચર્ચા કરવામાં આવી હતી.
એએમએના માનદ ખજાનચી શ્રી પ્રશાંત ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સહભાગીઓને‘સીએસઆરનો સાચો અર્થ’સમજવામાં મદદ કરવાનો અને તેનો ઉપયોગ સમાજના સૌથી નબળા વર્ગના લોકોના જીવનને સુધારવા તેમજ સમાજ પર એક સ્પષ્ટ અને કાયમી અસર પહોંચાડવાનો છે.”
મોટિફ ચેરિટી વૉકના સ્થાપક અને સ્ટાર્ટઅપ મેન્ટર શ્રી કૌશલ મહેતાએ મુખ્ય વક્તવ્ય આપતાં કહ્યું કે, “અમારા વીકએન્ડ ચેરિટી વૉક એક ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે,ભંડોળ એકત્ર કરે છે અને લોકોમાં ફિટનેસને પ્રોત્સાહન આપે છે. કંપનીઓ પણ વ્યક્તિગત દાન મેચ કરીને સહભાગિતાને પ્રોત્સાહિત કરે છે. શરૂઆતી શંકાઓ છતાં,અમારી પારદર્શિતા અને શૂન્ય-ખર્ચના મોડેલ—જે અમારા કર્મચારીઓની આત્મ-પ્રેરણાથી ચાલે છે—જેને અમને દાન આપવાની સંસ્કૃતિ વિકસાવવામાં મદદ કરી.”

એસોસિયેશન ફોર વિમેન ઈન બિઝનેસ,ઈન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયલી રિસ્પોન્સિબલ બિઝનેસિસના ડિરેક્ટર શ્રીમતી ગાયત્રી સુબ્રમણ્યમે“અસરકારક અમલીકરણ માટે દસ્તાવેજીકરણ અને સહયોગી વ્યૂહરચના”પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “જોકે ઘણી કંપનીઓ માટે કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૩૫ હેઠળ યોગદાન આપવું જરૂરી છે,પરંતુ નોંધાયેલી ઘણી કંપનીઓ સક્રિય નથી. સીએસઆરઅનેક કોર્પોરેટ્સ માટે એક નિયમિત પ્રવૃત્તિ બની ગઈ છે,પરંતુ તેનો સાચો પ્રભાવ સહયોગી પહેલો દ્રારા જ શક્ય છે. સીએસઆરને નિયંત્રિત કરતા ત્રણ મુખ્ય પરિબળો છે: સરકાર,કોર્પોરેટ સંસ્થાઓ અને સંસદ.”
ગુજરાત સરકારના માહિતી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી નિત્યા ત્રિવેદી અને સીએસઆરના પીઆર કમિટીના ચેરમેન તથાESS-K-SEEકન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચીફ માર્કેટિંગ કમ્યુનિકેશન એડવાઈઝર શ્રી સંજય ચક્રવર્તીએ“સીએસઆરમાટે સંચાર વ્યૂહરચનાઓ–આઉટરીચ અને જોડાણ વધારવું”પર સંબોધન કર્યું. શ્રીમતી નિત્યા ત્રિવેદીએ કંપનીઓ માટે તેમના સીએસઆરકાર્યોને તેઓ જે એનજીઓનો સંપર્ક કરે છે તેમના લક્ષ્યો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
શ્રી ચક્રવર્તીએ સામાજિક જાહેરાતને સામાજિક સમસ્યાઓ,જેમ કે ગરીબી અને શિક્ષણને ઉકેલવા માટે માર્કેટિંગનો ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કરી. સીએસઆરસંચારમાં સફળતા તમારા પ્રેક્ષકોને સમજવા અને કોર્પોરેટ અને સામાજિક લક્ષ્યો વચ્ચે સુમેળ સાધવા પર નિર્ભર છે.
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશનના ડૉ. ભૂષણ પુનાની,સાથ ફાઉન્ડેશનના શ્રીમતી બેલા જોશી અને ઉત્થાનના શ્રીમતી મનીષા પટેલે એનજીઓની સફળતાની વાર્તાઓ રજૂ કરી. ડૉ. ભૂષણ પુનાનીએ સફળતા માટેની મુખ્ય વ્યૂહરચનાઓ જણાવી,જેમાં ૧૦૦% પારદર્શિતા,સતત ઓડિટ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. શ્રીમતી બેલા જોશીએ એક મોડેલ વિશે જણાવ્યું જે કેન્દ્રીયકૃત માહિતી કેન્દ્ર અને ૬,૦૦૦થી વધુ પરિવારો માટે જરૂરિયાત આધારિત હસ્તક્ષેપ પ્રદાન કરે છે. શ્રીમતી મનીષા પટેલે સમુદાય-સંચાલિત,સંદર્ભ-વિશિષ્ટ ઉકેલો અને વધુ કાર્યક્ષમતા માટે જિલ્લા-વાર અભિગમની હિમાયત કરીને આ વાતને વધુ મજબૂત બનાવી.
અદાણી ફાઉન્ડેશનના ડૉ. ક્ષિતિજ શર્મા,જીવરાજ હોસ્પિટલના ડૉ. હાર્દિક શાહ અને શ્રી મિનેશ શાહ,અને ટાટા મોટર્સ લિમિટેડના સીએસઆરના સિનિયર મેનેજર શ્રીમતી સંપા દાસ ઘોષે“સીએસઆરમાંથી શ્રેષ્ઠ પધ્ધતિઓ”પર સંબોધિત કર્યું હતું.
વાધવાણી ફાઉન્ડેશનના ઇકોસિસ્ટમના ડિરેક્ટર શ્રી અંકિત મચ્છરે“પરોપકારીઓની વાર્તાઓ”પર સત્ર રજૂ કર્યું હતું. હોન્ડાના ઓપરેટિંગ ઓફિસર શ્રી મનીષ દુઆએ સમાપન સત્ર રજૂ કર્યું હતું. આ વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અસરકારક સીએસઆરમાટે વ્યૂહાત્મક આયોજન,સંપૂર્ણ પારદર્શિતા અને સ્થાનિક,સમુદાય-કેન્દ્રિત પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

