મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ‘પોષણ ટ્રેકર’ અને AIથી આંગણવાડીઓનું ડિજિટલ મોનિટરિંગ :
*NFHS-5ની સરખામણીએ જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રાજ્યમાં કુપોષણના દરમાં ૨૮.૩૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો: મંત્રીશ્રી*
*આંગણવાડીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એટેન્ડન્સ સિસ્ટમ અને ઈમેજ પ્રોસેસિંગ માટે રૂ.૫ કરોડની જોગવાઈ*
*ગુજરાત દેશમાં ૩૭.૪ ટકાના સર્વાધિક ‘જેન્ડર બજેટ’ સાથે પ્રથમ ક્રમે**બાળકોનું સ્વાસ્થ્ય એ કોઈ પક્ષનો નહીં પણ સમગ્ર સમાજનો વિષય:‘સુપોષિત ગુજરાત‘થી‘મજબૂત ભારત‘ના નિર્માણમાં સૌને સાથે મળીને કામ કરવા મંત્રીશ્રીનો અનુરોધ*
Gandhinagar, વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીશ્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જેઓ ‘શું બદલાયું’ તેમ પૂછે છે તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર નહોતી.
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ છે, જેનાથી છેવાડાના બાળક સુધી મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે.
મંત્રીશ્રીએ કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું કે,એક સમયે આંગણવાડી એટલે અંધારું ઓરડું અને યોજનાઓ માત્ર કાગળ પર રહી ભ્રષ્ટાચારના કૂવામાં હોમાઈ જતી હતી. પરંતુ આજે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની આંગણવાડીઓ ‘સ્માર્ટ’ બની છે,જ્યાં બાળકો સ્માર્ટ ટીવી અને નવીનતમ પદ્ધતિઓથી શિક્ષણ મેળવી રહ્યા છે.
*ડિજિટલ કવચ અને ટેકનોલોજી દ્વારા પારદર્શિતા*
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘પોષણ ટ્રેકર’એપ્લિકેશન દ્વારા આજે છેવાડાના આદિવાસી ગામના બાળકનું વજન અને તેને મળતા દૂધની વિગત મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર બેઠા એક ક્લિક પર જાણી શકે છે. રાજ્યની ૫૩,૦૦૦ થી વધુ આંગણવાડીઓમાં ૪૮ લાખ લાભાર્થીઓ માટેAIઆધારિત એટેન્ડન્સ સિસ્ટમ માટે રૂ. ૫ કરોડની જોગવાઈ કરાઈ છે. ટેક હોમ રાશન (THR)વિતરણમાંQRકોડ ટેકનોલોજીનો ઉપયોગ કરી‘ડિજિટલ કવચ’પૂરું પાડવામાં આવ્યું છે.
*કુપોષણ સામે ‘જંગ’ અને પોષણ સંગમ*
નાગરિકોના સ્વાસ્થ્ય સ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ કહેતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથેNFHS-5 (૨૦૧૯-૨૦) ની સરખામણીમાં જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા છે. આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે,જેમાં ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો ૩૯.૭% હતો,જે હવે ઘટીને માત્ર ૧૧.૪% પર આવી ગયો છે. આમ,કુલ ૨૮.૩૦% નો માતબર ઘટાડો આવ્યો છે.

