ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણ માટે ગુજરાતના વકીલ મતદારોનો ચક્રવ્યુહ સફળ થશે તો પરિણામ આશ્ચર્યજનક હશે ?!
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ જીતી શકશે જેમને ગુજરાતભરમાંથી સમર્થન મળશે ?!
તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સની કચેરીની છે ! ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવારોની છે ! જેમાં ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવાર શ્રી પરેશભાઈ જાનીની છે ! બીજી તસ્વીર સંભવિત ઉમેદવાર સર્વ શ્રી મીનાબેન જગતાપની છે ! ત્રીજી તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ! ચોથી તસ્વીર સંભવિત ઉમેદવાર મનીષાબેન પરીખની છે ! પાંચમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી બાબુભાઈ મંગુકીયાની છે !
છઠ્ઠી તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે ! સાતમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી ભરતભાઈ ભગતની છે ! આઠમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી ભાવેશભાઈ બારોટની છે ! નવમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી વિનોદચંદ્ર દિક્ષીતની છે ! દસમી તસ્વીર શ્રીમતી વૈશાલીબેન ભટ્ટની છે ! અને અગિયારમી તસ્વીર સંભવિત ઉમેદવાર મનાતા શ્રી હર્ષદભાઈ બહોરાની છે તેઓ આ વખતે તો ગુજરતના અનેક બારમાંથી ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી કરનાર છે !
કેટલાક ઉમેદવારો ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણ માટે ઉભા રહ્યા હોવાનું મનાય છે ! ૧૮ સીટ પુરૂષ વકીલો માટે અને પાંચ શીટો મહિલા ઉમેદવારો માટે અનામતછે ! પણ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ જીતી શકે છે જેમની સમગ્ર ગુજરાતમાં પહોંચ હોય ! રાજકીય સમર્થન હોય ?! જ્ઞાતિ-જાતિનું સમર્થન હોય ?! બાકી તો આ વખતે જીતવા માટે નહીં એકબીજાના “પતંગો” કાપવા માટે ?! એકબીજાનું રાજકારણ સમાપ્ત કરવા માટે ?!
જોડે રહીને ખેલ ખેલાશે એવા સંકેતો મળી રહ્યા છે ! જોઈએ કળીયુગના “ધર્મયુદ્ધ” માં કોની જીત થાય છે ?! પણ વકીલ મતદારો એ ના ભુલે કે “એકડો” તમારા હાથમાં છે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
પરેશભાઈ જાની, વિનોદચંદ્ર દિક્ષીત, મીનાબેન જગતાપ, પરેશભાઈ વાઘેલા, બાબુભાઈ મંગુકીયા, મનીષાબેન પરીખ, અનિલભાઈ કેલ્લા, ભરતભાઈ ભગત, ભાવેશભાઈ બારોટ, શ્રીમતી વૈશાલીબેન ભટ્ટ, હર્ષદભાઈ બહોરા સહિત અનેક સંભવિત ઉમેવારો ગુજરાત બાર કાઉન્સિલમાં ઝંપલાવશે ?!
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન કહે છે કે, “હું ભલે એવા કારણથી હારૂં જે એક દિવસ જીત અપાવે, નહીં એવા કારણથી જીતું જે કયારેક હાર અપાવે”!! અમેરિકાના રાજકીય તત્વજ્ઞાની માર્ટીન લ્યુથર કિંગ કહે છે કે, “જે વ્યક્તિ એ નથી જાણતી કે પોતે શેના પર જીવન કુરબાન કરી શકે છે એને જીવવાનો અધિકાર નથી”!!
આ દુનિયાના લોકો પોત, પોતાના ધર્મ દ્વારા શ્રી ભગવાનસુધી પહોંચવા પ્રયત્ન કરે છે ! પોતાના સાંપ્રદાયિક ધર્મ દ્વારા દરેક વ્યક્તિ ઈશ્વરના સ્વર્ગ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે ! પરંતુ ધર્મ એટલે કર્તવ્ય ! નૈતિકતા ! માનવતા ! ના ઐશ્વર્ય સત્યને સ્વીકારવા તૈયાર નથી ?! આ દુનિયામાં દરેક માનવી દાની છે, કારણ કે એ મૃત્યુ પામે છે ત્યારે તેની તમામ મિલકત બીજાને વાપરવા માટે છોડી જાયછે ! ન્યાયધર્મ જો તેની નૈતિકતા ગુમાવે છે ! ત્યારે વકીલાત કે અદાલતોનું કોઈ મહત્વ રહેતું નથી !
ફોજદારી કોર્ટ લાયબ્રેરીનું કેટલાક જાગૃત વકીલોએ ગાયત્રી યજ્ઞ કરી શુધ્ધિકરણ કર્યું ?! વેસ્ટર્ન ટાઈમ્સે સવાલ ઉઠાવ્યો હતો કે, “લાયબ્રેરીનું શુધ્ધિકરણ કયારે અને કોણ કરશે ?!” તો તેનું શુધ્ધિકરણ વિચારશીલ અને નૈતિકતાના સમર્થક વકીલોએ કરી નાંખ્યું છે ! ત્યારે હવે ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણનો મુદ્દો વકીલોમાં ટોક ઓફ ધી બારનો મુદ્દો બન્યો છે !!
ફોજદારી બારનું ગાયત્રી યજ્ઞ દ્વારા શુધ્ધિકરણ થયું ?! કે ફોજદારી બારની લાયબ્રેરીનું શુધ્ધિકરણ થયું ?! ગાયત્રી યજ્ઞ પૂર્ણ કર્યા પછી જે “પવિત્ર જલ” નો છંટકાવ થયો એનાથી આ પવિત્ર જલ જયાં જયાં પડયું ત્યાં ત્યાં શુધ્ધિકરણનો સંચાર થયો ?!

