રાજ્યની તમામ નદીઓનાબંન્ને કાંઠાની જમીન પર વનસંરક્ષણ-સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈ
નિર્ણયના અન્ય મહત્વના બિંદુઓ :
·વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સિમાંકન–GISમેપિંગ કરીને કાર્યક્ષેત્ર–જમીનની ઓળખ કરાશે
·ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર–વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે
·આવી જમીનના રક્ષણ–જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે
·આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે
·સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધિન–જેતે જિલ્લા કલેકટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે
·આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બન્ને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવશે
વાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૩ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના ૧૧.૦૩ ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં ગુજરાતની કુલ ૧૮૫ નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ,વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું હતું.
વન મંત્રી શ્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ ૧૮૫ નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જે

