ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના ચક્રવ્યુહમાં મહિલા અનામત બેઠકોની ભૂમિકા અનેક નવા સમીકરણો ઉમેરશે અને જુના જોગીઓ એની વોટ બેંકમાં એકડા કપાતા આશ્ચર્યજનક પરિણામો સર્જશે
પ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિથી તા. ૧૩-૦૩-૨૦૨૬ ના રોજ યોજાવાની લગભગ નકકી છે !-મહિલાઓ માટે ૩૦% અનામત બેઠકો થતાં ૧૮ પુરૂષ ઉમેદવારો પૈકી બગડામાંથી એકડા મેળવવા નવો ચક્રવ્યુહ ઘડવાની ફિરાકમાં ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! મહાત્મા ગાંધી કહે છે કે, “માણસે પોતાનું વિચારોનું સર્જન છે ! એ જે વિચારે છે તેવો બને છે”! ગુજરાત બાર કાઉન્સિલનો એક સમય એવો હતો જેમાં વધારેમાં વધારે સિનીયર, વિખ્યાત કાયદાશાસ્ત્રી વકીલાતના ક્ષેત્રમાં મહેનત કરી પ્રતિભા ઉભી કરી હોય તેવા ઉમેદવારો વકીલ મતદારો ચૂંટાતા હતાં હવે ચૂંટણીનું રાજકારણ ગંદુ થઈ ગયું છે ?!
એટલે પ્રતિભાશાળી – વિદ્વાન વકીલો ચૂંટણીમાં ઉભા નથી રહેતા ઉભા રહે છે તો કથિત અનાચારભરી કુટનિતિ સામે ટકી શકતા નથી ?! જીતી શકતા નથી ?! જો વકીલોનું ખરેખર ભલુ કરવું હોય તો સુવિખ્યાત ધારાશાસત્રીઓની અને ખરેખર સેવાભાવી હોય એવા ઉમેદવારોને ગુજરાત બાર કાઉન્સિલમાં મત આપો ! ગુજરાત બાર કાઉન્સિલમાં અગાઉ ડાબી બાજુથી સૃવિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી કે. જે. શેઠનાની છે ! ડાબી બાજુથી બીજા ક્રમે વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી જે. બી. પારડીવાલાની છે ! ત્રીજા ક્રમે શ્રી યોગેશભાઈ લાખાણીની છે !
ચોથા ક્રમે શ્રી વિનોદચંદ્ર દિક્ષિતની છે ! પાંચમી તસ્વીર શ્રી વિજયભાઈ પટેલની છે ! છઠ્ઠી તસ્વીર સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ અમીનની છે ! સાતમી તસ્વીર ગાંધીવાદી શ્રી વિનુભાઈ ગાંધીની છે ! આઠમી તસ્વીર શ્રી અફઝલખાન પઠાણની છે ! નવમી તસ્વીર શ્રી આર. આર. શુકલની છે ! દસમી તસ્વીર શ્રી નિરંજનભાઈ દફતરીની છે ! અગિયારમી તસ્વીર શ્રી એમ. બી. આહુજાની છે ! બારમા ક્રમે શ્રી એમ. એલ. ઉનડકટની તસ્વીર છે !
આવા અનેક સુવિખ્યાત ધારાશાસ્ત્રીઓ ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ મતદારો ચૂંટાતા હતાં ! આજે આવા પ્રતિનિધિઓ કયાં ચૂંટાય છે ?! વકીલ મતદારો ઉંડી કોઠાસૂજથી મતદાન કરે અને જુનીયર્સ વકીલ ઉમેદવારોનો પ્રચાર સાંભળી મતદાન ન કરે પણ એમની વકીલાત ક્ષેત્રે નામ અને વકીલોની સેવા ક્ષેત્રે કામ છે ?! નૈતિકતા અને પ્રમાણિકતા છે ?! આ બધું જોઈ વિચારીને વકીલ મતદારો પોતાના ભવિષ્ય માટે ઉમેદવારોને ચૂંટશે ?!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલમાં અગાઉ કાયદાના પ્રખર જાણકાર અને પ્રતિભાશાળી નામાંકિત વકીલો બાર કાઉન્સિલની ચૂંટણી લડતા હતાં ! માટે તેનો પડઘો ન્યાયતંત્રમાં અને સરકારમાં પડતો હતો ! આજે કેટલાક નામાંકિત, શ્રેષ્ઠ વકીલો ઉમેદવારી કરતા નથી ?! કેમ ?!
અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ફયુલ્ટન કહે છે કે, “તમારા હાથ બતાવો શું એ આપી આપીને જખ્મી થયા છે ?! તમારા ચરણ બતાવો સેવા કરતા, કરતા થાકી ઘાયલ થયા છે ?! તમારૂં હૃદય બતાવો શું તેમાં દૈવીપ્રેમ માટે જગ્યા બચી છે ?”!! બ્રિટીસ વૈજ્ઞાનિક રીચાર્ડ ડોકિન્સ કહે છે કે, “આપણે દરેક રીતે ખુલ્લા દિમાગના રહેવું જોઈએ પણ એટલા બધાં ખુલ્લા નહીં કે દિમાગ બહાર નીકળી પડે”! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે !
પ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિથી તા. ૧૩-૦૩-૨૦૨૬ ના રોજ યોજાવાની લગભગ નકકી છે ! વકીલ મંડળોની ચૂંટણીમાં પછી ફોજદારી બાર હોય કે કેટલાક અન્ય બાર હોય કેટલાક ઉમેદવારો લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરે છે ?! કારણ કે તેઓ જીતે નહીં તો તેમની વકીલાત ચાલે નહીં ?! આવું જ કંઈ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ કેટલાક ખર્ચ કરેછે પણ અહીં જુદા પ્રકારનું ખર્ચ થાય છે ?!
તેને માટે રસપ્રદ ચર્ચા બહાર આવી રહી છે ! ૩૦% મહિલા અનામત થતાં પાંચ સીટો પર ચક્રવ્યુહ ઘડાઈ રહ્યો છે ! બગડા લેવા અનેક મહિલા ઉમેદવારોને, પુરૂષ ઉમેદવારોને ઉભા રાખશે ! જાતિવાદ, ધર્મવાદ, જ્ઞાતિવાદ ચાલશે અને ઉમેદવારો ઉભા રાખવા ઉમેદવારી ફોર્મના પૈસા પણ કેટલાક ભરાશે ?! ડીનર ડીપ્લોમસી થશે ! આ માહોલ વકીલ મતદારેએ અત્યંત ગંભીર બનવાનું છે ! શું થઈ શકે વિચારો ?! બાર કાઉન્સિલમાં કથિત ચર્ચા મુજબ શું થઈ રહ્યું છે ?! વિચારો અને આજથી જ મન બનાવી લો સત્તા પરિવર્તન જરૂરી છે !
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ બે વિચારધારા વચ્ચેનું “ધર્મયુદ્ધ” છે ! ત્યારે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંદેશાને અનુસરી વકીલ મતદારો મતદાન કરશે તો જ વકીલાતની વ્યવસાયિક સલામતી અને ન્યાયતંત્રની ગરિમા બચી શકશે ! નહી તો વકીલાતના સૈધ્ધાંતિક મૂલ્યોને તાળા વાગી જશે અને જુનીયર્સ વકીલોને વકીલાત કરવાના ફાંફા પડી શકે છે ?!

