સારવારમાં 92% સફળતા દર સાથે રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનમાં મોખરે
_• *94%લક્ષ્ય સિદ્ધ:* નીતિ આયોગના1.40લાખના લક્ષ્યાંક સામે1,31,801ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી_
_• *₹49.10કરોડની નાણાકીય સહાય:*2025માં92,921દર્દીઓને પોષણ સહાય માટે સીધી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી_
_• *4.49લાખ પોષણ કિટ:*31,058 નોંધાયેલા સમુદાય સ્વયંસેવકો (નિક્ષય મિત્રો) ના મજબૂત નેટવર્ક દ્વારા દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું
_• *75.39લાખ લોકોનું સ્ક્રીનિંગ:* સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ મોટા પાયે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું,જેના પરિણામે1.63લાખ નવા કેસોને સક્રિય સારવાર હેઠળ લાવવામાં આવ્યા_
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ટીબી મુક્ત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ નીતિ આયોગે ટીબીની નોંધણી અને સારવારના જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે,તેમાં94%સફળતા પ્રાપ્ત કરી લીધી છે. વિશ્વ ટીબી દિવસ પર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા દર્શાવે છે કે,રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનમાં ગુજરાતની સ્થિતિ મજબૂત બની છે.
વર્ષ2025માં નીતિ આયોગે1,40,000ટીબીના કેસોની ઓળખનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો,જેની સામે રાજ્યએ1,31,801ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરી છે. જે દર્દીઓની ઓળખ થઈ છે તેમાંથી1,25,301દર્દીઓને તાત્કાલિક સક્રિય સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા. સતત મૅડિકલ ફૉલો-અપના પરિણામે1,21,912દર્દીઓએ તેમની સારવાર પૂર્ણ કરી,જેથી91.74%નો ક્લિનિકલ રિકવરી દર પ્રાપ્ત થયો.
વર્ષ 2025માં92,921ટીબીના દર્દીઓને₹49.10 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી
ટીબી એવી બીમારી છે,જેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. પરિણામે,આર્થિક બોજ વધી જવાના કારણે ઘણી વાર દર્દીઓ સારવાર અધવચ્ચે જ છોડી દે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વર્ષ2025માં જ92,921ટીબીના દર્દીઓને₹49.10કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે. નિક્ષય પોષણ યોજના હેઠળ,દર્દીઓને દર મહિને₹1,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે,જેનો મુખ્ય ઉદ્દેશ્ય સારવાર દરમિયાન તેમનું પોષણ સુનિશ્ચિત કરવાનો છે.
આ નાણાકીય સહાયને અભૂતપૂર્વ સામુદાયિક સહકારથી વધુ મજબૂતી મળી છે. વડાપ્રધાનશ્રીના ‘ટીબી મુક્ત ભારત અભિયાન’થી પ્રેરાઈને,ગુજરાતે રાષ્ટ્રીય પોર્ટલ પર31,058નિક્ષય મિત્રો (સામુદાયિક સ્વયંસેવકો અને પ્રાયોજકો) ની નોંધણી કરાવીને આરોગ્ય સહાયને સફળતાપૂર્વક જનભાગીદારી સાથે જોડી છે.10,682સક્રિય સ્વયંસેવકોના પ્રયાસો દ્વારા,આ નિક્ષય મિત્રોએ દર્દીઓને4.49લાખથી વધુ પોષણ કિટનું વિતરણ કર્યું છે,જેનાથી સમુદાય આધારિત પોષણ સહાયમાં ગુજરાત દેશનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે.
પ્રોએક્ટિવ સ્ક્રીનિંગનું મહાભિયાન: 75.39લાખ લોકોનું પરીક્ષણ, 1.63 લાખ નવા દર્દીઓની ઓળખ

