Gujarat SIR Revision: Gujarat SIR Revision હેઠળ મતદાર યાદીનું વિશેષ ગહન પુનરીક્ષણ હાલ રાજ્યમાં ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં BLO દ્વારા ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જ SIR ફોર્મ ભરીને લોકો પાસે અપિલ કરી છે કે આ પ્રક્રિયામાં સહકાર આપી લોકશાહી મજબૂત બનાવવી જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોર્મ ભરી કર્યું અપડેટ શેર
CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે SIR ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. મતદાર યાદીને વધુ પારદર્શી અને સચોટ બનાવવા માટે આ અભિયાન ખુબ જ અગત્યનું છે. તેમણે સૌને પ્રાથમિકતા આપીને ફોર્મ ભરવા અનુરોધ કર્યો.
ગુજરાતમાં SIR કાર્ય નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થયું છે. PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત સ્થાયી સરનામાઓ પર પણ BLO દ્વારા ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યા છે.
ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે.
PM Modi અને Amit Shahનો મતદાર નોંધણી સ્થાન ક્યાં છે?
PM નરેન્દ્ર મોદી છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં રહે છે, છતાં તેમનું મતદાર નોંધણી સ્થાન અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ છે. તેમનું નામ પરિવારના અન્ય સભ્યો સાથે જ મતદાર યાદીમાં નોંધાયેલું છે.
રાણીપ વિસ્તાર, અમદાવાદ પૂર્વ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે અને તેનું વિધાનસભા ક્ષેત્ર સાબરમતી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના મતદાર છે. તેઓ નારાયણપુરા વિધાનસભા ક્ષેત્રના મતદાર તરીકે નોંધાયેલા છે અને તેમનું તથા તેમના પરિવારનું નામ અંકુર સોસાયટીમાં નોંધાયેલું છે.
ફોર્મ કેમ છે મહત્વનું?
CM પટેલના જણાવ્યા મુજબ—
ફોર્મ સરળ છે
બધાએ પ્રાથમિકતા આપવી જરૂરી
મતદાર યાદી વધુ સચોટ બને છે
ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બને છે

