સાબર ડેરી વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવનાર સાથે બે ડીરેક્ટરોની બોલાચાલી-ઉગ્ર બોલાચાલીના પગલે મારામારી થતાં સહકારી ક્ષેત્રે હલચલ
સાબર ડેરીમાં સૌરાષ્ટ્રમાંથી કેમિકલયુક્ત નકલી દૂધની ટેન્કરો મોકલાઈ હોવાના ખોટા સમાચાર ફેલાવ્યા
મોડાસા, સાબર ડેરીમાં નકલી દૂધ મામલે બે ડિરેક્ટરોએ માલપુર વિભાગના ડિરેક્ટર જશુભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય) સાથે ઝઘડો કરી મારામારી કરી કપડાં ફાડી નાંખ્યાની ઘટના ચર્ચાસ્પદ બનતા તેના પડઘા અરવલ્લી જિલ્લામાં પડ્યા છે.
જેમાં મોડાસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ આગળ બે ડિરેકટરોના ટેકેદારો વચ્ચે સાબર ડેરી વિરુદ્ધ ખોટા આક્ષેપ અંગે કુશંકા રાખી ઘર્ષણ થતાં મારામારીમાં એક શખ્સને માથામાં ઈજાઓ પહોંચી હતી. સાબર ડેરીમાં ડિરેકટરો વચ્ચે થયેલા ઝગડામાં ડિરેકટર જશુભાઈ પટેલને પણ ઈજા થઈ હતી અને આ મામલે ટેકેદાર કાર્યકરને પણ ઈજા થઈ હતી, પરંતુ પોલીસ ફરિયાદ થઈ નથી.
જયારે સાબર ડેરીમાં સૌરાષ્ટ્રમાંથી કેમિકલયુક્ત નકલી દૂધની ટેન્કરો અહીં મોકલાઈ હોવાના ખોટા સમાચાર અંગે ડેરીમાં બે ડિરેકટરો વચ્ચે થયેલી મારામારીમાં જશુભાઈ પટેલના કપડાં ફાટ્યાની ઘટનાના પડઘા મોડાસામાં પડ્યા હતા.
અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના સંયુક્ત દ્વારા મોડાસામાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, નલી દૂધ કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.
બંને જિલ્લામાં નકલી દૂધનો કારોબાર મોટાપાયે ચાલતો હોવાની ચર્ચાઓ વચ્ચે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના સિનિયર ડિરેકટર સાથે તેમના સાથી બે ડિરેકટરોએ ઝગડો કરી દુર્વ્યવહાર કરેલ છે. તેની નિષ્પક્ષ તપાસ યોજી ન્યાયોચીત પગલા ભરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી ચિમકી ઉચ્ચારી હતી કે આ મામલે તંત્ર સમયસર યોગ્ય પગલા નહીં ભરે તો જન આંદોલન છેડવાની ચિમકી આપી હતી. આમ નકલી દૂધનો મામલો ગરમાયો છે. આગામી સમયમાં ઝગડો ઉગ્ર બને તેવા એંધાણ વર્તાય છે.
આ નકલી દૂધનો મુદ્દો બંને જિલ્લામાં ‘ચર્ચાસ્પદ બની ગરમાયો છે. આ મામલે બંને જિલ્લા કોંગ્રેસે તપાસની માંગ કરી છે ત્યારે બંને જિલ્લામાં આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સાબરકાંઠા સંસદીય મત વિસ્તારના પૂર્વ ભાજપી સાંસદ દિપસિંહ રાઠોડે એક વાતચીતમાં જણાવ્યું હતું કે
બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોની જીવાદોરી સમાન સાબરડેરીમાં કેટલાક તત્વો નકલી કેમિકલયુક્ત દૂધ સાબરડેરીને મોકલી આર્થિક નુકસાન કરતા હોવાના આક્ષેપ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને તપાસ કરી યોગ્ય ઘટના ન્યાયી પગલા ભરવા અને હકીકત સાચી જણાય તો ક્રાઈમબ્રાન્ચને તપાસ સોપવા માગ છે.

