ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સમરસ જુથનું નેતૃત્વ કરતા જે. જે. પટેલ ૧૯૪૯ એકડા સાથે જીત્યા ! બાકીના “બગડા” માંથી “એકડા” કરી જીત્યા ?! રસપ્રદ ચૂંટણી પરિણામમાં સુરત બારનો દબદબો રહ્યો ?!-ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અને સમરસ પેનલનું પોસ્ટમોર્ટમ શું છે ?!
સમરસ જુથમાં નવોદિત મહિલા ઉમેદવારો અને પ્રતિભાશાળી નવોદિત ઉમેદવારોને સમરસમાં સમાવવા તરફ ચક્રવ્યુહ ઘડી જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલમાં સમરસને વધુ મજબુત કરશે ?!
બ્રિટીસના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “રાજકારણ યુદ્ધ જેટલું જ રોમાંચક હોય છે, યુદ્ધમાં તમે એક જ વાર હણાઓ છો, જયારે રાજકારણમાં તો. વારંવાર મરવું પડે છે”!! જયારે રશિયન સામ્યવાદના પ્રણેતા વાÂલ્દમીર લીચ લેનિન કહે છે કે, “રાજકારણમાં નૈતિકતા જેવું કાંઈ હોતું નથી !
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! જેમાં ડાબી બાજુથી સમરસ જુથનું નેતૃત્વ કરતા શ્રી જે. જે. પટેલ ફકત ૧૯૪૯ એકડામાં જ જીત મેળવી છે ! હવે ફરી ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન બની દિલ્હીમાં નેતૃત્વ કરશે ! બીજી તસ્વીર શ્રી એ. એ. અન્સારીની છે ! તેઓ સૌથી વધુ એકડા મેળવી જીત્યા છે ! આ જીતમાં અભૂતપૂર્વ રાજનિતિ ખેલાઈ છે ! ત્રીજી તસ્વીર મહિલા ઉમેદવારોની છે ! તેમણે જીત મેળવી છે તે છે નિમિષાબેન ધોત્રે છે !
ચોથી તસ્વીર વંદનાબેન ભટ્ટની છે ! પાંચમી તસ્વીર અમૃતાબેન ભારદ્વાજની છે ! છઠ્ઠી તસ્વીર પ્રીતિબેન જોષીની છે ! સાતમી તસ્વીર હિરલબેન પાનવાલાની છે ! આ પાંચેય મહિલા ઉમેદવારોએ મહિલા અનામત સીટ ઉપર નોંધનીય વિજય હાંસલ કર્યાે છે અને ગુજરાત બાર કાઉÂન્સલમાં મહિલાઓ માટે અવાજ ઉઠાવશે અને સમરસ જુથ માટે યોગદાન પણ આપશે એવું મનાય છે ! જયારે સુરતના નાનકડા બારમાંથી કુલ ૬ ઉમેદવારો જીત્યા છે !
તેમાં મહિલા ઉમેદવારો પછીની તસ્વીરમાં સુરત બારના શ્રી ભાવેશભાઈ રબારીની છે ! પછીની તસ્વીર શ્રી ઝાંકી શેખની છે ! પછીની તસ્વીર શ્રી હિતેશભાઈ પટેલની છે ! અને ત્યાર પછીની તસ્વીર શ્રી હરેશભાઈ નાકરાણીની છે ! ગુજરાત બાર કાઉÂન્સલમાં નોંધનીય જીત હાંસલ કરનાર અને ત્રીજા ક્રમે ચૂંટાયેલા શ્રી દિલીપભાઈ પટેલની છે ! ત્યાર પછીની તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ત્યાર પછીની તસ્વીર શ્રી મનોજભાઈ અનડકટની છે !
ત્યાર પછીની તસ્વીર શ્રી કરણસિંહ વાઘેલાની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી પી.ડી. પટેલની છે ! ત્યારપછીની તસ્વીરમાં શ્રી દિપેનભાઈ દવે, શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા, શ્રી કિશોરભાઈ ત્રિવેદી, શ્રી શંકરસિંહ ગોહિલ, શ્રી અનિલભાઈ કેલ્લા, શ્રી જીગ્નેશભાઈ પટેલ, અને શ્રી ભરતભાઈ ભગતની છે ! ઉપરોકત તમામ ઉમેદવારોએ ગુજરાત બાર કાઉÂન્સલના કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં જીત હાંસલ કરીને નોંધનીય વિજય મેળવ્યો છે !

હવે પરીક્ષા શ્રી જે. જે. પટેલની છે ?! જેમણે ગુજરાત બાર કાઉÂન્સલને સમરસની બાજી ચીપવાની છે ?! હિતશત્રૂઓને તેમની હેસિયત બતાવવાની છે ?! અને દિલ્હીમાં નવેસરથી મોટી જવાબદારી સંભાળવાની છે ! જીતેલા તમામ ઉમેદવારો શ્રી હેમંતભાઈ નવલખા, શ્રી ઓમપ્રકાશ સાંખલા, શ્રી ભુનેશભાઈ રૂપેરા, શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વૈશાલીબેન ભટ્ટ, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી નવીનભાઈ પંચાલ, શ્રી ચંદ્રકાંતભાઈ રૂપેરા સહિત અનેકે અભિનંદન પાઠવ્યા છે !!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
એમાં તો બદમાસ માણસ પણ તેની બદમાસીને લીધે કામનો હોઈ શકે છે”!! આજે દેશમાં મૂલ્યો કે સિધ્ધાંતોની વિચાર ધારાની લડાઈ કરતા “સત્તા” માટેની ! સત્તા ટકાવી રાખવા માટેની અને સત્તા દ્વારા શકયને બધું જ હાંસલ કરવાની લડાઈ છે ! અને માટે આજે વિશ્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલે છે ! યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે ! અને આજની નવી કહેવત બની ગઈ છે
“વર મરો કન્યા મરો પણ અમારી સત્તાનું તરભાણું ભરો” પરંતુ આ વિચાર ધારા ન્યાયતંત્રમાં ઘુસાડવાની લડાઈ ચાલે છે ! અને ન્યાયતંત્ર નિષ્પક્ષ, સંનિષ્ઠ અને કાબેલ ન્યાયાધીશોનું બનેલું નહીં હોય તો વકીલાતનો વ્યવસાયનો મૃત્યુઘંટ વાગશે ?! હજુય સમય છે ! વકીલો જાગૃત બનો બાર કાઉન્સિલની સત્તા સેવાભાવી કર્મશીલ અને તટસ્થ લોકોના હાથમાં રહેવી જોઈએ ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલને પછાડવા “હાઈપ્રોફાઈલ રાજકીય ડ્રામા રચાયો એ બાર કાઉન્સિલને કયાં લઈ જશે ?!”અને ચૂંટણી પત્યા પછી પણ શ્રી જે. જે. પટેલનું વ્યુહાત્મક રીતે નીચું દેખાડવાનો હિતશત્રૂઓ કારસો રચી રહ્યા છે એ ચોંકાવનારો છે ?! શ્રી જે. જે. પટેલ આ મુદ્દે કયારે ગંભીર બનશે ?!

