IRCTC અપડેટ: શું તમે ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપની IRCTCની એપ ડાઉનલોડ કરીને ટિકિટ બુક કરવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમે ટિકિટ બુક કરવા માટે નકલી IRCTC એપ ડાઉનલોડ કરી છે? ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ સામાન્ય લોકોને આ નકલી એપથી સાવધ રહેવા માટે કહ્યું છે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ જણાવ્યું કે IRCTC Rail Connect નામની નકલી એપ એક છેતરપિંડીભરી એપ્લિકેશન દ્વારા પ્રસારિત કરવામાં આવી રહી છે અને સામાન્ય લોકોને તેનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. IRCTCએ આ મેસેજ અંગે સામાન્ય લોકોને ચેતવણી આપી છે અને તેનો શિકાર ન થવાની સલાહ આપી છે.
IRCTCના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ મોબાઈલ એપ અભિયાનમાં છેતરપિંડી કરનારાઓ મોટા પાયે ફિશિંગ લિંક્સ મોકલી રહ્યા છે. આ છેતરપિંડી કરનારા લોકોને આ લિંક દ્વારા નકલી IRCTC Rail Connect મોબાઇલ એપ ડાઉનલોડ કરવા દબાણ કરે છે. તેમનો હેતુ લોકોને ખોટી પ્રવૃત્તિઓમાં ફસાવવાનો છે.
IRCTCએ આ સંબંધમાં સત્તાવાર એડવાઇઝરી જારી કરતી વખતે આ એપને નકલી ગણાવી અને કહ્યું કે તેના ઉપયોગથી યુઝરને ભારે નુકસાન થઈ શકે છે. IRCTCએ માત્ર Google Play અથવા Apple App Store પરથી Rail Connect એપ ડાઉનલોડ કરવાનું કહ્યું છે.
અગાઉ ઘણા પ્રસંગોએ, IRCTC એ Android વપરાશકર્તાઓને Google Play Store પરથી IRCTC Rail Connect મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને iOS વપરાશકર્તાઓને ફક્ત Apple App Store પરથી જ ડાઉનલોડ કરવાની સલાહ આપી છે. IRCTC વેબસાઇટ https://irctc.co.in પર આપેલા સત્તાવાર નંબર દ્વારા IRCTC ગ્રાહક સંભાળનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ એક નવો રેકોર્ડ હશે, જ્યારે આટલા મોટા પાયા પર રિડેવલપમેન્ટનું કામ એક સાથે શરૂ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. 24,470 કરોડનો ખર્ચ થશે. આ રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉમેરવામાં આવશે.