સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા લખવામાં આવ્યો-મહિલા કર્મચારીઓને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બોલાવીને બધા વચ્ચે ઉતારી પાડી, મોઢા પર કાગળ ફેંકવા સુધીની ગેરવર્તણુંક કરે છે.
ગુજરાત સરકારમાં સચિવાલય કેડરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.આ કેડરના અધિકારી/કર્મચારી સરળ,સહજ અને સજ્જ્ન હોય એવી સામાન્ય છાપ પ્રવર્તે છે. પરંતુ હવે એવું લાગે છે કે સચિવાલયના કર્મચારી/અધિકારીઓનું નૈતિક સ્તર પણ કદાચ નીચે ઉતરતું જાય છે.
તેનો પુરાવો એ છે કે ગાંધીનગર સચિવાલયના પંચાયત વિભાગના કેટલાંક અધિકારીઓ તેમના વિભાગની મહિલા નાયબ સેક્શન ધિકારીઓને હેરાન કરે છે તેવી ફરિયાદ કરતો એક પત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયો છે.આ પત્ર મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ મનોજ દાસ પાસે પહોંચતા એ પણ ચોંકી ગયા છે.

આ પત્ર ગંભીર એ માટે છે કે તે સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં (૧)પંચાયત વિભાગના નાયબ સચિવ નરેન્દ્ર વાઘેલા (૨)ઉપસચિવ પીયૂષ રાજવંશી અને હાલ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા(૩) નાયબ સચિવ સતીશ પરમાર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી છે.
આ મહિલા કર્મચારીની ફરીયાદ એવી છે કે કાર્યાલય સમય દરમિયાન જે તે અધિકારીઓ તેમને ગંદી નજરે જુએ છે,તેઓ પર અણછાજતી કોમેન્ટ કરે છે, અશ્લીલ ઠઠ્ઠા-મશ્કરી કરે છે અને ચારિત્ર્ય વિષયક ટીપ્પણી ઓ કરે છે .મહિલા કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવીને બધા વચ્ચે ઉતારી પાડી, મોઢા પર કાગળ ફેંકવા સુધીની ગેરવર્તણુંક કરે છે. મહિલાઓ જ્યાં સૌથી વધુ સલામત હોવી જોઈએ એ સ્થળે આવું થાય એ અત્યંત શોચનીય ઘટના છે.
ક્ષત્રિયોના મુદ્દે ભા.જ.પ.ના પ્રવક્તા જયરાજસિંહ પરમારની જીભ લપસી?
ગુજરાતનાં ભા.જ.પ.નાદિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે નાનકડી ટકોર કરી હતી એ વિવાદ લાંબો ચાલેલો.એ પછી વળી પાછું વધું એક વખત ભા.જ.પ.ના એક નેતાની ક્ષત્રિય સમાજ અંગે બોલતા જીભ લપસી છે.

ગુજરાતનાં ભા.જ.પ.નાદિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે નાનકડી ટકોર કરી હતી એ વિવાદ લાંબો ચાલેલો.એ પછી વળી પાછું વધું એક વખત ભા.જ.પ.ના એક નેતાની ક્ષત્રિય સમાજ અંગે બોલતા જીભ લપસી છે.
તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે એક કોલેજના કાર્યક્રમમાં ભા.જ.પ.ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીથી માણસાના રાજવી યોગરાજસિહ રાઓલ અને જયરાજસિંહ પરમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
એટલુ જ નહીં પરંતુ રાઓલે પરમારને પ્રવચન કરતા પણ અટકાવ્યા હતા અને કહ્યું હતું કે તમે ક્ષત્રિય સમાજ વિશે આપ ખોટી વાતો ફેલાવો છો.ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિશે આ બન્ને આગેવાનો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને તેનાં પરીણામે માણસના રાજવી રાઓલ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. સર્ટફીકેટ કોર્સ અંગેનાં આ કાર્યક્રમમાં જયરાજસિંહ મુખ્ય મહેમાન હતા અને યોગરાજસિંહને સ્થાનિક અગ્રણી તરીકે નિમંત્રવામા આવ્યા હતા
ત્યારે આ વૈચારિક તકરાર થઇ હતી.ભા.જ.પ.પાસે એક જમાનામાં શંકરસિંહ વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા અને પ્રદીપસિંહ જાડેજા જેવા પરીપકવ રાજકારણીઓ હતાં.જેઓ કોઈ દિવસ, કોઈ વિવાદમા આવતા નહીં.એ સૌ અહીં યાદ આવે.વર્તમાન આગેવાનોએ આ જુના તથા પીઢ આગેવાનો પાસેથી કંઈક શીખવું જોઈએ હોં!
ભાવનગરના કલેકટર ડો.મનીષ કુમારની પ્રેરણાદાયી કામગીરી


