મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચમાં વિશેષ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી, AMC કમિશ્નર બંછાનિધી પાની, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
અમદાવાદ: અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સોમવારે સવારે અમદાવાદમાં ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ – પદયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય એકતાની પદયાત્રામાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયં સહભાગી થઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ યુનિટી માર્ચ સોમવારે (૧૭ નવેમ્બર, ૨૦૨૫) સવારે ૮:૩૦ કલાકે આંબલી સ્થિત ખોડિયાર મંદિરથી શરૂ થઈ હતી. પદયાત્રા આ માર્ગો પર આગળ વધી:
આ પદયાત્રામાં અમદાવાદના મેયર, કમિશ્નર, કેબિનેટ મંત્રી @irushikeshpatel , પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @MLA_Darshna , સાંસદ શ્રી @narhari_amin , શ્રી @idineshmakwana , મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારની‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ‘પદયાત્રાને આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા યોજાઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો તારીખ ૯ નવેમ્બરે જુનાગઢથી પ્રારંભ કરાવ્યા બાદ વિધાનસભા વિસ્તાર વાઈઝ આ માર્ચના આયોજન અંતર્ગત તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં સોમવારે સવારે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

