ન્યાયતંત્રમાં વિદ્વાન, કાબેલ અને ન્યાયધર્મની સ્વતંત્રતા માટે કામ કરનારા ન્યાયાધીશો નહીં રહે તો પછી લોકોનો વિશ્વાસ પણ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે ! પછી લોકો જ કોર્ટમાં નહીં આવે તો ન્યાયાધીશો અને વકીલો શું કરશે ?!
ગુજરાત હાઈકોર્ટના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરવા અને ગુજરાત હાઈકોર્ટ બારની પ્રતિભા ઉજાગર કરવા માટે લડાયેલા રસપ્રદ ચૂંટણી જંગમાં આવેલા અપેક્ષિત ચૂંટણી પરિણામ બારની એકતા મજબુત કરશે ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે ! વર્ષ ૧૯૬૦ થી ગુજરાત હાઈકોર્ટ કાર્યરત થઈ ત્યારથી ગુજરાત હાઈકોર્ટનો ગૌરવવંતો ઈતિહાસ ન્યાયાધીશોએ અનેક ચૂકાદાઓ આપી લખ્યો છે ! બંધારણીય મૂલ્યો અને માનવ અધિકારનું રક્ષણ કરીને લખ્યો છે !
બંધારણનીકલમ-૨૨૬ હેઠળ મળેલી સત્તાની રૂઈએ અધિકારના અમલ માટે હેબિયર્સ કોપર્સ, રીટ ઓફ મેન્ડેમસ, રીટ ઓફ પ્રોહીબીશન, રીટ ઓફ કો-વોરન્ટો અને રીટ ઓફ સર્શિઓરરિ ઉપર અનેક ચૂકાદાઓ નિર્ભય રીતે, નિષ્પક્ષ રીતે અને નિષ્ઠાપૂર્વક આપ્યા છે! સરકાર અને રાજકારણથી ઉપર ઉઠીને અનેક આદેશો હાઈકોર્ટના ઐતિહાસિક ચૂકાદાઓમાં જોવા મળે છે !
સાથે ન્યાયાધીશો નિડરતાપૂર્વક અને નિષ્પક્ષ રીતે પોતાની ભૂમિકા અદા કરી શકે અથવા કરે એ માટે ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખોએ પણ ગુજરાત હાઈકોર્ટની ગરિમાને આગળ ધપાવી છે ! રાજકીય કારણોસર ન્યાયાધીશોની બદલીઓ થતાં હાઈકોર્ટ બારે ભૂતકાળમાં લડત આપી અટકાવી છે ! ગુજરાત હાઈકોર્ટ બારના વર્ષાે અગાઉ શ્રી સી. ટી. દરૂ સાહેબ બારના પ્રમુખ હતાં !
ત્યારે અને તે પહેલા આને પછી ગુજરાત હાઈકોર્ટ બારને મજબુત પ્રમુખ મળ્યા હતાં અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પણ વકીલોની સમસ્યાઓનો ઉકેલ લાવતા હતાં ! ગુજરાત બાર કાઉન્સિલની પણ ગરિમા હતી ! રાજકીય ગ્રહણથી મુકત હતી ! હાઈકોર્ટ બાર અને ગુજરાત બાર કાઉÂન્સલ સરકારની સામે સંયુકત અવાજ ઉઠાવી સરકારને ઝુકાવતી હતી ! આ ઈતિહાસ હવે સમજદાર વકીલોએ ફરી લાવવાની જરૂર છે !
ન્યાયતંત્રમાં વિદ્વાન, કાબેલ અને ન્યાયધર્મની સ્વતંત્રતા માટે કામ કરનારા ન્યાયાધીશો નહીં રહે તો પછી લોકોનો વિશ્વાસ પણ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે ! પછી લોકો જ કોર્ટમાં નહીં આવે તો ન્યાયાધીશો અને વકીલો શું કરશે ?! આ આજથી જ ગુજરાત હાઈકોર્ટ બારે વિચારે ! અને ન્યાયતંત્રની અને વકીલાતની વ્યવસાયિક ગરિમા માટે કર્મશીલ બને ?! ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી પણ આવી રહી છે ને ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
પ્રમુખ પદ ઉપર યતીનભાઈ ઓઝાની કર્મિનષ્ઠાનું સમર્થન કરતું ચૂંટણી પરિણામે વકીલોમાં ઉત્સાહનો સંચાર કર્યાે ?!
ગુજરાત હાઈકોર્ટ બારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણીતા એડવોકેટ ભુનેશભાઈ ડી. રૂપેરાએ તથા અમદાવાદ ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ બી. એમ. ગુપ્તાએ તથા ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા ચંદ્રશેખરભાઈ બી. ગુપ્તાએ પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે !
અમેરિકન વૈજ્ઞાનિક જહોન વ્હીલર કહે છે કે, “વિચારભેદ શિક્ષણ તરફ વાળે છે, શિક્ષણ સમજ તરફી, સમજ વિવેક તરફ અને વિવેક “પ્રેમ” તરફ વાળે છે”! જયારે બ્રિટીસ વૈજ્ઞાનિક પોલ ડીરાક કહે છે કે, “શ્રી પરમેશ્વરે બહું ઉચ્ચકોટિનો ગણિત શાસ્ત્રી છે, તેણે બહું અઘરા દાખલાઓ ગણીને આ જગતનું સર્જન કર્યુંર્ છે”!
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન એ વૈજ્ઞાનિક રીતે અત્યંત સંવેદનશીલ, જાગૃત અને બંધારણીય મૂલ્યો માટે અવાજ ઉઠાવવાનું પ્રતિષ્ઠિત બારછે ! ગુજરાત હાઈકોર્ટ બારમાં સીનીયર વકીલો પણ નોંધનીય સંખ્યામાં છે ! અહીં ડીનર ડીપ્લામસી કે અન્ય ચર્ચાસ્પદ હરકતો લગભગ થતી જ નથી! હાઈકોર્ટ બારમાં અનુભવી, સક્ષમ અને કર્મશીલ પ્રમુખની જરૂર હતી જે સમગ્ર બારના પ્રશ્નો સમજે, વિચારે અને બાર અને બેન્ચે વચ્ચે સમતુલા જાળવી હિંમતથી પ્રશ્નો ઉકેલે !

