વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશથી PM કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::
·વડાપ્રધાનશ્રીનાનેતૃત્વમાંપીએમકિસાનયોજનાવિશ્વનીસૌથીમોટીDBTયોજના બની
·ખેડૂતહિતમાં વડાપ્રધાનશ્રીએ “પીએમ ધનધાન્ય કૃષિ યોજના” અને “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના”ને મંજૂરી આપીછે
·છેલ્લા એક દાયકામાં દેશના કૃષિ બજેટમાં પાંચ ગણી વૃદ્ધિ થઈ;૨૫ કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ થયું
·વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ખેડૂતોને બીજથી બજાર સુધીની વ્યાપક સુવિધા મળી છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય ૨૦માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી અને રજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સહિત રાજ્યભરના ૩ લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂતહિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે,એ વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણેGYANએટલે કે ગરીબ,અન્નદાતા,યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ
બનાવી છે.
બનાવી છે.

