(જી.એન.એસ),તા.૦૫
દેશના લાખો ખેડૂતો માટે સારા દિવસો ટૂંક સમયમાં આવવાના છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે તુવેર દાળની ખરીદી માટેનું એક પોર્ટલ લોન્ચ કર્યું અને કહ્યું કે આપણે ડિસેમ્બર 2027 સુધીમાં દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2028થી એક કિલો દાળ પણ આયાત નહિં કરવી પડે. આ પ્લેટફોર્મ પર ખેડૂતો તેમની પેદાશો NAFED અને NCCFને વેચી શકે છે, જ્યાં ખેડૂતો તેમની નોંધણી કરાવી શકે છે અને લઘુત્તમ ટેકાના ભાવ અથવા બજાર કિંમતે તેમની ઉપજ વેચી શકે છે. ટ્વિટ કરતા અમિત શાહે લખ્યું હતું કે NAFED અને NCCF દ્વારા વિકસિત વેબ પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા તુવેર (અરહર) કઠોળની ખેતી કરતા ખેડૂતો તેમનું કઠોળ ઓનલાઈન વેચી શકશે અને તેમના ખાતામાં સીધી ચુકવણી મેળવી શકશે..
અમિત શાહે આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણની ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા કરવામાં આવ્યો હતો. NAFED અને NCCF બંને સરકાર માટે ‘બફર’ સ્ટોક જાળવવા માટે કઠોળની ખરીદી કરે છે. અમિત શાહે જણાવ્યું હતું કે તુવેરની વાવણી પહેલાં, તુવેરના ખેડૂતો તેમની પેદાશો NAFED અને NCCFને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર વેચવા માટે પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે નોંધાયેલ તુવેર ખેડૂતો પાસે NAFED/NCCF અથવા ખુલ્લા બજારમાં વેચવાનો વિકલ્પ હશે. જો તુવેર દાળની ખુલ્લા બજાર કિંમત MSP કરતા વધુ હોય, તો તે કિસ્સામાં સરેરાશ દરની ગણતરી પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. શાહે કહ્યું કે ઘણા ખેડૂતો કઠોળની ખેતી કરતા નથી કારણ કે કિંમતો નિશ્ચિત નથી. આ પ્લેટફોર્મ દ્વારા ખરીદીથી આ પહેલ કૃષિ ક્ષેત્રમાં મોટો સુધારો લાવશે અને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરશે.