વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ-લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો પાર પાડશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત જિલ્લામાં858કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત – ઈ-લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી
Øવિકસિત–આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો–હસ્તકલા કારીગરો–MSMEને યોગદાન આપવામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો નવી દિશા આપશે
Øપરિશ્રમ–પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી રૂ.2લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દેશ માટે
દિશાદર્શક છે
દિશાદર્શક છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ,લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પડશે.
રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તા.26થી29ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજના યુવાનો-યુવતીઓને સ્વરોજગારી માટેની પ્રેરણા તેમજ નાના મધ્યમ કક્ષાનાMSME,ઉદ્યોગકારો અને વ્યવસાયોને એક મંચ પર સાથે લાવીને વ્યવસાય-ઉદ્યોગોનો વ્યાપ વધારવાના અભિગમ સાથે આ મેળો યોજાયો છે.
એટલું જ નહીં, 370થી વધુ સ્ટોલ્સ,આદિવાસી વાનગીઓના80ઉપરાંત સ્ટોલ્સ,દેશભરના રાજ્યોના700થી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા અનેMSMEમાટે બિઝનેસ વર્કશોપ આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પણ સાકાર કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં આ મેળાના પ્રારંભ સાથે સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ.858કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
તેમણે જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીએ વિકસિત અને આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં આદિવાસી ઉદ્યોગો,પરંપરાગત કલા કસબ અનેMSMEદ્વારા યોગદાન આપવામાં આ મેળો નવી દિશા આપશે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર-સ્વદેશીના આ વિઝનને ગુજરાત સુપેરે પાર પાડે છે તેની ભૂમિકાની સફળતા વર્ણવતા કહ્યું કે,રાજ્ય સરકારે સ્વ સહાય મહિલા જૂથો,સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને કૌશલ્ય વર્ધન કેન્દ્રોથી યુવાઓને જોબ સીકરમાંથી જોબ ગિવર બનાવ્યા છે.

