13 મહિનામાં 32 લાખથી વધુ મુસાફરોએ સફર કર્યો
“ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ; 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન આપવું”
Ahmedabad, ભારતીય રેલવેની વંદે ભારત એક્સપ્રેસે ફેબ્રુઆરી 2019 માં માત્ર એક સેવા સાથે શરૂઆત કરી હતી અને આજ તે 164 ટ્રેનોના શક્તિશાળી નેટવર્ક તરીકે દેશના મુખ્ય શહેરોને જોડે છે. વૈશ્વિક સ્તરના વંદે ભારત સેવાઓ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ માટે નવો ધોરણ સ્થાપિત કરી રહી છે. તેની વધતી લોકપ્રિયતા મુસાફરોની સતત વધતી સંખ્યાથી સ્પષ્ટ થાય છે.
ગુજરાતમાંથી ચલાવવામાં આવતી વંદે ભારત એક્સપ્રેસ સેવાઓએ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને મુસાફર સુવિધાઓના ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધીની 13 મહિનાની અવધિમાં ગુજરાતથી ચાલતી 5 જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મુસાફરોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો છે. આ અવધિમાં લગભગ 32 લાખ મુસાફરોએ આ પ્રીમિયમ ટ્રેનોની મુસાફરી કરી.
આ સેવાઓમાં માત્ર મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાયો નથી, પરંતુ અનેક માર્ગો પર માંગ ક્ષમતાથી ઘણું વધુ, મુંબઇ-અમદાવાદ-મુંબઇ વચ્ચે લગભગ 140% ઓક્યુપન્સી નોંધાઈ છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. અમદાવાદ-ઓખા વચ્ચે ઓક્યુપન્સી લગભગ 90% રહી છે, સાબરમતી-જોધપુર વચ્ચે ઓક્યુપન્સી 81% થી વધુ રહી છે.
અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન સેવા અનેક મુસાફરોની પ્રથમ પસંદગીઓમાં શામેલ બની ગઈ છે. વ્યાવસાયિકો, વેપારીઓ અને નિયમિત મુસાફરો દ્વારા તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સેવા ભારતના બે મુખ્ય ટેક્નોલોજી કેન્દ્રોને જોડે છે.
મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ નિર્મિત, દરેક ટ્રેન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. તેમાં સ્વચાલિત પ્લગવાળા દરવાજા, ફરતી બેઠકો અને બાયો-વેક્યુમ શૌચાલયનો સમાવેશ થાય છે. તેમાં GPS આધારિત મુસાફર માહિતી સિસ્ટમ અને સંપૂર્ણ CCTV કવરેજ પણ છે. આ સુવિધાઓ દરેક મુસાફર માટે વિશ્વસ્તરીય મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે
વિશ્વસ્તરીય સુવિધાઓ:
· આધુનિક અને એર્ગોનોમિક ડિઝાઇન વાળા કોચ
· આરામદાયક રીક્લાઇનિંગ બેઠકો અને પૂરતી લેગરૂમ
· આપોઆપ દરવાજા અને જીપીએસ આધારિત મુસાફર માહિતી પ્રણાલી

