PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે રહેશે. ત્રણ દિવસના પ્રવાસમાં પીએમ મોદી ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લેશે. આમાં ધાર્મિક, સાંસ્કૃતિક, વિકાસાત્મક અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો સામેલ છે. પીએમ મોદીના આ પ્રવાસને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ૧૦ જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. રાત્રે લગભગ ૮ વાગ્યે તેઓ સોમનાથ મંદિરમાં ઓંકાર મંત્ર જાપમાં ભાગ લેશે. આ પછી તેઓ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શોનું અવલોકન કરશે. આ કાર્યક્રમ આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયનું પ્રતીક હશે.
શૌર્ય યાત્રામાં જોડાશે પીએમ મોદી
૧૧ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. સવારે લગભગ ૯:૪૫ વાગ્યે તેઓ શૌર્ય યાત્રામાં સામેલ થશે. આ યાત્રા તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાઢવામાં આવે છે જેમણે સોમનાથ મંદિરની રક્ષા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આ પછી સવારે ૧૦:૧૫ વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. સવારે લગભગ ૧૧ વાગ્યે તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વના અવસર પર આયોજિત એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને લોકોને સંબોધિત કરશે.
વાઈબ્રન્ટ સમિટમાં જશે પીએમ
આ પછી પીએમ મોદી રાજકોટ જશે, જ્યાં તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનમાં ભાગ લેશે. બપોરે લગભગ ૧:૩૦ વાગ્યે તેઓ ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે ૨ વાગ્યે મારવાડી યુનિવર્સિટી, રાજકોટમાં સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરી તેઓ સભાને સંબોધિત કરશે. આ સંમેલન રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હશે. સાંજે પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચશે અને લગભગ ૫:૧૫ વાગ્યે તેઓ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર સેક્ટર ૧૦એ થી મહાત્મા મંદિર સુધી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ ના બાકીના હિસ્સાનું ઉદ્ઘાટન કરશે, જેનાથી શહેરી પરિવહનને નવી ગતિ મળશે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ :
૧૦ જાન્યુઆરી
પીએમ મોદી સાંજે સોમનાથ પહોંચશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સામેલ થશે. સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રે રોકાશે.
૧૧ જાન્યુઆરી
૧૦ વાગ્યે સોમનાથ મંદિર દર્શન કરશે. ૧૦.૨૦ વાગ્યે સરદાર સંકલ્પ સ્થળ પર નમન. ૧૦.૩૦ વાગ્યે સોમનાથ સ્વાભિમાન શૌર્યયાત્રા. ૧૧ થી ૧૨ સભા સ્થળ પર રહેશે. ૧૨ વાગ્યા પછી તેમના નક્કી કરેલા સમયે રાજકોટ રવાના થશે. ૧૨ થી ૪ વાગ્યા સુધી રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં રહેશે. સાંજે સાબરવતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી રાત્રે ગાંધીનગર રાજભવનમાં રોકાશે.
૧૨ જાન્યુઆરી
સવારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જનું અમદાવાદમાં સ્વાગત કરશે. બંને નેતા સાથે મળીને સાબરમતી આશ્રમ જશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. સાબરમતી રિવરફ્રન્ટ પર બંને નેતા International Kite Festival નું ઉદ્ઘાટન કરશે. બંને નેતા સાથે મળીને મેટ્રોથી ગાંધીનગર જશે. મહાત્મા મંદિર સુધીના નવા મેટ્રો રૂટનો શુભારંભ કરશે. મહાત્મા મંદિરમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક.
ફ્રેડરિક મર્જ સાથે કરશે મુલાકાત
૧૨ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે મુલાકાત કરશે. સવારે ૯:૩૦ વાગ્યે બંને નેતાઓ સાબરમતી આશ્રમ જશે અને ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. સવારે ૧૧:૧૫ વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય વાર્તા થશે, જેમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના ૨૫ વર્ષની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
પ્રવાસને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ
પીએમ મોદીના પ્રવાસને લઈને સોમનાથ, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પીએમ મોદી એવા સમયે પહોંચશે જ્યારે ત્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પણ ચાલી રહ્યો છે. ફૂલોની સુગંધ વચ્ચે તેઓ પતંગ મહોત્સવની શરૂઆત કરશે. આ સાથે તેઓ જર્મની સાથે ભારતના સંબંધો મજબૂત કરવા માટે વાતચીત પણ કરશે. પીએમ મોદી સાબરમતી આશ્રમ પણ જશે.

