ઓઈલ રેગ્યુલેટર PNGRBA એ નોઈડામાં ઘરોમાં ઓટોમોબાઈલ અને પાઈપ્ડ ગેસ માટે છૂટક સીએનજીના લાયસન્સ માટેની અદાણી ટોટલ ગેસ લિમિટેડની અરજીને ફગાવી દીધી છે. કંપની દ્વારા નિયમોનું પાલન થતું ન હોવાના આધાર પર તેણે આવું કર્યું છે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે 14 જુલાઈના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે અદાણી ટોટલ ગેસ એક્ટની જરૂરિયાતોનું પાલન કરતી નથી અને તેથી તેની અરજી ફગાવી દીધી હતી. અદાણી છેલ્લા બે દાયકાથી નેશનલ કેપિટલ રિજનની આસપાસના શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન લાયસન્સ માટે પ્રયત્નશીલ છે. રેગ્યુલેટર અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં જે કંપનીને રેગ્યુલેટરની સત્તાવાર મંજૂરી હોય અથવા કેન્દ્ર સરકારની મંજૂરી હોય તે શહેરમાં સીએનજી અથવા પાઇપ્ડ ગેસનું છૂટક વેચાણ કરી શકે છે. સરકારી કંપનીઓના સંયુક્ત સાહસ ઈન્દ્રપ્રસ્થ ગેસને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી માટે અધિકૃત કરવામાં આવી છે. જો કે, અદાણીએ તેની આસપાસના નગરો માટે IGLના દાવાને પડકાર્યો છે. PNGRB, જે 2006 માં અસ્તિત્વમાં આવ્યું હતું, તે કંપનીઓની અરજીઓ સ્વીકારે છે જેમની હાજરીને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. IGL 1990 થી દિલ્હી NCTમાં CNGનું છૂટક વેચાણ કરે છે.
અદાણી કેપિટલને ખરીદવામાં બેઈન કેપિટલ આગળ છે
અદાણી ગ્રુપની સાત વર્ષ જૂની NBFC અદાણી કેપિટલને ખરીદવા માટે બેઈન કેપિટલ મંત્રણાના અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. ત્રણ PE રોકાણકારોએ અદાણી કેપિટલ ખરીદવામાં રસ દાખવ્યો છે. તેમાં બેઈન કેપિટલ ઉપરાંત સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ અને કાર્લાઈલનો સમાવેશ થાય છે. જોકે, બેઈન કેપિટલ આમાં આગળ નીકળી હોવાનું સૂત્રોનું કહેવું છે. અદાણી કેપિટલનું નેતૃત્વ લેહમેન બ્રધર્સના ભૂતપૂર્વ મેક્વેરી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગૌરવ ગુપ્તા કરે છે. તેઓ કંપનીમાં લગભગ 10 ટકા હિસ્સો ધરાવે છે.