જામનગર, અમરેલી, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમરેલી અને જામનગર જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
અમરેલીના બગસરા અને વડિયાના ગામોમાં ભારે પવન બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો.જામનગરના લાલપુર પંથકમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડીયા અને બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.
બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા.જામનગરના લાલપુર પંથકમાં વરસાદ પડતા રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો.
લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાદળા દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવન સાથે કરા પડતા રસ્તા પર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.હાલમાં બંને જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ઘઉનું કટિંગ થઇ રહ્યુ છે તેવા સમયે જ માવઠુ પડતા ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે.
લાલપુર વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોના ઘઉ પર કરા પડતા ઢળી પડ્યા હતા. કેટલાક ખેડૂતોએ કટરથી ઘઊં લઇને ખેતરમાં ઢગલો કર્યાે હતો તેવા ખેડૂતોમાં ઘઉને ઢાંકવા માટે દોડધામ મચી ગઇ હતી. તો બીજી માવઠાથી તરફ ઉનાળુ તલ અને બાજરી સહિતના પાકોને પણ માવઠાથી ભાગે નુકસાન થયાના અહેવાલ છે.SS1MS

