રાજ્યમાં રાજપીપળા,મોરબી,નવસારી,ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ,હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો આ2026ના વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ જશે.
2026ના અંત સુધીમાં ગુજરાતમાં પાંચ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિર્માણ કામો પૂર્ણ થશે-કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં ના પારદર્શી-ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી અમલીકરણ કરવા મુખ્યમંત્રીશ્રીનું સૂચન
ગ્રામીણ સ્તર સુધી હોલિસ્ટીક હેલ્થકેરનો વડાપ્રધાનશ્રીનો અભિગમ ગુજરાતમાં ૭૭૩૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સાકાર થઈ રહ્યો છે
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
રાજ્યમાં રાજપીપળા,મોરબી,નવસારી,ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ,હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો આ2026ના વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. આના પરિણામે અંતરિયાળ આદિવાસી વિસ્તારોના ગામો તથા સૌરાષ્ટ્રના દૂરદરાજના ગામોના લોકોને નજીકના સ્થળે જ વધુ સંગીન આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે તેમ મુખ્યમંત્રીશ્રીની સમક્ષ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થ કેર ફોર ઓલ નો જન આરોગ્યલક્ષી અભિગમ અપનાવીને જે મહત્વની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ શરૂ કરાવી છે તેની પ્રગતિની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને મુખ્યમંત્રીશ્રીએ જરૂરી દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.
ખાસ કરીને ગ્રામીણ સ્તર સુધી આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિ સહિત જન આરોગ્ય સુખાકારી માટે હોલિસ્ટીક હેલ્થકેરનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ ગુજરાતમાં ૭૭૩૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વ્યાપક નેટવર્કથી સાકાર થઈ રહ્યો છે. તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મિશન અન્વયે રાજ્યમાં410અર્બન હેલ્થ સેન્ટર્સ, 33જિલ્લાઓમાં આધુનિક લેબ્સ અને32જિલ્લામાં ક્રિટિકલ કેર બ્લોકસના નિર્માણની પ્રગતિની વિગતો મેળવીને આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પણ દિશા નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં302સબ સેન્ટર્સ અને23પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનો પૂર્ણ થઈ ગયા છે તેની પણ જાણકારી આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ આ બેઠકમાં આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માનું રાજ્યમાં પારદર્શી,ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી વધુ ચોકસાઈ પૂર્ણ અને વ્યવસ્થિત અમલીકરણ થાય તે માટેના સૂચનો કર્યા હતા.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં રાજ્યની3.44લાખથી વધુ માતાઓને પોષણ સહાય,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના “માં” અન્વયે2.69કરોડ સભ્યોનું રજીસ્ટ્રેશન અને10લાખ સુધીની કેશલેસ સારવારની ઉપલબ્ધી અંગે પણ બેઠકમાં છણાવટ કરવામાં આવી હતી.

