અમદાવાદ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ),અમદાવાદ કાર્યાલય દ્વારા આજે ગુજરાતભરમાં કાર્યરત શહેરી સહકારી બેંકો (યુસીબી)ના મુખ્ય કાર્યકારી અધિકારીઓ,વરિષ્ઠ વ્યવસ્થાપન અને આઈટી આગેવાનો માટે સાયબર-સક્ષમ છેતરપિંડીથી લડવા પર વર્કશોપનું આયોજન કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આરબીઆઈ અમદાવાદ કાર્યાલય ના ક્ષેત્રિય નિદેશક શ્રી અમરેશ રંજન દ્વારા કરવામાં આવ્યું.
મુખ્ય વક્તાઓમાં ગાંધીનગર સાયબર સેન્ટર ફોર એક્સલન્સના પોલીસ અધિક્ષક શ્રી સંજય કુમાર કેશવાલા અને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી તન્વી રાઘુવંશીનો સમાવેશ થાય છે. વર્કશોપમાં ગુજરાતના100થી વધુ યુસીબીના સીઈઓ અને અન્ય વરિષ્ઠ આગેવાનોએ હાજરી આપી.
ક્ષેત્રિય નિદેશકે તેમના મુખ્ય પ્રવચનમાં સાયબર-સક્ષમ નાણાકીય છેતરપિંડીમાં,ખાસ કરીને “ડિજિટલ ધરપકડ” ના ભય પર તાજેતરના વધારા પર પ્રકાશ પાડ્યો. તેમણે લાખો લોકોના નાણાકીય કલ્યાણની રક્ષા કરવામાં યુસીબીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે ઓનબોર્ડિંગ દરમિયાન ગ્રાહક યોગ્ય તપાસ અને સતત લેન-દેન નિગરાની જાળવવાના મહત્વને રેખાંકિત કર્યું.
પ્રવચનમાં ઝીરો ટ્રસ્ટ આર્કિટેક્ચર તરફ પરિવર્તન અને રાષ્ટ્રીય અપરાધ અહેવાલ પોર્ટલ (એનસીઆરપી) સાથે ગહન એકીકરણની હિમાયત કરવામાં આવી જેથી વાસ્તવિક સમયમાં છેતરપિંડી નિવારણ શક્ય બને. વધુમાં,આરબીઆઈના ક્ષેત્રિય નિદેશકે યુસીબીના વરિષ્ઠ નેતૃત્વને તેમની સંસ્થાઓમાં સાયબર પ્રતિરોધ ક્ષમતાને કોર વ્યૂહાત્મક પ્રાથમિકતા તરીકે ઉન્મેષાવવા માટે આહ્વાન કર્યો અને હાઇપરલોકલ સમુદાય અભિયાનો,સ્થાનીય ભાષા અલર્ટ વગેરેથી જાગૃતિ વધારવા વિનંતી કરી.
શ્રી કેશવાલાએ ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની પહેલો દર્શાવી જે સાયબર છેતરપિંડીને અટકાવવા,અહેવાલ આપવા અને શોધવા પર કેન્દ્રિત છે. શ્રી કેશવાલાએ તેમના સત્રમાં શ્રોતાઓને1930નંબર,ભારતમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની રચના અને કામગીરી વિશે માહિતી આપી અને બેંકો દ્વારા સમયસર કાર્યવાહી કરવાથી સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમના પૈસા પાછા કેવી રીતે મળી શકે છે તે વિશે માહિતી આપી.
શ્રી કેશવાલાએ એ વાત પર ભાર મૂક્યો કે સાયબર છેતરપિંડી કરનારાઓ વિશ્વાસ,ભય,લોભ,ઉતાવળ અને આળસ જેવી માનવ લાગણીઓનો ઉપયોગ કરે છે અને “ગોલ્ડન અવર” ની અંદર છેતરપિંડીની તાત્કાલિક જાણ કરવા પર ભાર મૂક્યો. શ્રીમતી રઘુવંશીએ કાર્યકારી કઠોરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું,બેંકોને ઉન્નત ડ્યુ ડિલિજન્સ (EDD), AMLચેતવણી સમીક્ષાઓ અને હોટસ્પોટ કેન્દ્રોનું નિરીક્ષણ મજબૂત બનાવવા વિનંતી કરી.
કાર્યક્રમ ઇન્ટરેક્ટિવ સત્ર સાથે સમાપ્ત થયો અને વિવિધ બેંકોના પ્રતિભાગીઓએ માર્ગદર્શન મેળવ્યું તથા સાયબર છેતરપિંડીને પ્રતિબંધિત કરવાના કેટલાક માર્ગો પણ સૂચવ્યા.

