
“વેસ્ટર્ન ટાઈમ્સના અહેવાલનો પડઘો” -નરોડા કઠવાડા રોડ ખારીકટ કેનાલને સીલ મારી બંધ કરાયેલા રસ્તા સામે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની અને અન્ય પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત બાદ એક રસ્તો ખુલ્લો કરતા પ્રજાએ રાહતનો દમ લીધો !!
જે કામ નરોડાના કોર્પાેરેટરોએ ના કર્યુ એ કામ ધારાસભ્યોએ કર્યુ ?!
તસ્વીર વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે ખારીકટ કેનાલ પાસે રાતો રાત રસ્તા સીલ કરાયા પછી ઉદ્દભવેલી સમસ્યાની તસ્વીરો સાથે વાચા આપ્યા પછી અને રજૂઆત કર્યા પછી મ્યુનિ. કોર્પાેરેશનના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધિ પાની સહિત કેટલાક અધિકારીઓએ જરૂરી આદેશ આપ્યા પછી રસ્તો ચાલુ કરાયો છે !
એટલું જ નહીં એલીસબ્રીજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતભઈ ઠાકોરની ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા પછી એક બાજુનો રસ્તનો ખોલતા લોકાને ૭૦% સમસ્યા હલ થઈ છે !
પરંતુ હવે ખારીકટ કેનાલનું બાકીનું કામ યુદ્ધના ધારણે શરૂ કરવાની જરૂર છે ! કારણ કે વરસાદી પાણીનો નિકાલ પુરઝડપે થતો નથી વધારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી., વ્યાસવાડી પાસેની લાઈનો બેક મારે છે ! ડાહ્યાલાલ પાર્ક ! મણીલાલ પાર્ક જેવી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે !
ત્યારે તેનો યોગ્ય નિકાલ થાય એ જરૂરી છે ! તસ્વીરમાં વેસ્ટર્ન ટાઈમ્સ અખબારના અહેવાલ પછી કામચલાઉ ચાલુ કરાયેલા રસ્તાની બોલતી તસ્વીર છે ! જયારે બીજી તસ્વીર વરસાદી પાણીના ઝડપી નિકાલ ન થતાં સર્જાયેલી સમસ્યાની છે ! હવે નરોડાના લોકોએ જાગૃત થવાની જરૂર છે !
મ્યુનિ. કોર્પાેરેશનના સમક્ષ રજૂઆત કરવાની હિંમત અને સમય ફાળવવાની જરૂર છે અને અધિકારીઓએ હાઈકોર્ટના આદેશ વગર પોતાનું કર્તવ્ય નિભાવવાની જરૂર છે !
કારણ કે પગાર ! ભથ્થાં લેનારા કોર્પાેરેટરો તો ચૂંટણી આવે ત્યારે ટિકીટો લેવા નીકળી જાગૃત થાય છે ?! પણ કોન્ટ્રાકટરો સાથે કામ કેવી રીતે લેવું એ મ્યુનિ. કમિશ્નરશ્રી તથા ડે. મ્યુનિ. કમિશ્નરશ્રીએ જોવાની જરૂર છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગ્રીક તત્વચિંતક અને વૈજ્ઞાનિક એરીસ્ટોટલે કહ્યું છે કે, “રાજય ચલાવવા માટે સારા કાયદા એટલા જરૂરી નથી જેટલા સારા અધિકારીઓની જરૂર છે”!! જયારે અમેરિકાના સોલીસીટર જનરલ રોબર્ટ જેકસન કહે છે કે, “ભુલોમાંથી નાગરિકોને બહાર કાઢવા એ સરકારનું કામ નથી, સરકાર ભુલ કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કાર્ય નાગરિકોનું છે”!!
સરકારના અમલદારો કે મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓ તેના કોન્ટ્રાકટરો ભુલો કરે ત્યારે તેવા સમયે લોકોએ જાગૃતિ દાખવીને ત્વરીત સરકારનું કે મ્યુનિ. અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી રજૂઆત કરવાનું કામ “નાગરિકો”નું છે !
પણ ભારતમાં આવી નિર્ણાયક અને વિચારશીલ, જાગૃત આઝાદીના ૭૬ વર્ષ પછી પણ ઘણી જગ્યાએ જોવા મળતી નથી ! ભારતના “અખબારો” અને “અદાલતો” આ કામ આજે કરે છે ! છતાં કયારેક લોકો જાગૃત થતાં નથી !