રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટેEDC ફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ વાન કાર્યરત
Øઆ મોબાઈલ વાનના કાર્યક્ષેત્રમાં બે ઝોનમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાયા
Øકેમિકલ ઉદ્યોગો, GIDC, SEZ,ગેસ લીક ઘટના તથા સંભવિત પ્રદૂષિત વિસ્તારોમાં વાનની ભૂમિકા મહત્વની
Øવાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ
ભારત એક ઝડપથી વિકસતો દેશ છે ત્યારે તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એ ફાર્માસ્યુટિકલ,રાસાયણિક,ડાય અને ડાય-ઈન્ટરમીડીએટ્સ,કાપડ,સિરામિક,ધાતુ,રિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે.
આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છે,જેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBદ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDCફંડ હેઠળ રૂ. ૫.૭૬ કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવી છે. જે માટેની કાર્ય યોજનાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-CPCBદ્વારા ગુજરાતમાં સક્રિય રીતે કાર્યરત કરવામાં આવી છે.
આ બે મોબાઇલ વાનમાંથી એક વાન ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારોમાં આવેલીGPCBની પ્રાદેશિક કચેરીઓમાં અમદાવાદ ગ્રામીણ,અમદાવાદ શહેરી,અમદાવાદ પૂર્વ,ગાંધીનગર,મહેસાણા,પાલનપુર,હિંમતનગર,આણંદ અને નડિયાદ ખાતે મોનિટરિંગ કામગીરી કરશે. જ્યારે બીજી વાન દક્ષિણ અને મધ્ય ગુજરાતની પ્રાદેશિક કચેરીઓ વડોદરા,ગોધરા,ભરૂચ,અંકલેશ્વર,વલસાડ,સુરત,નવસારી,વાપી અને સરીગામમાં હવા અને પાણી ગુણવત્તાની મોનિટરિંગ કામગીરી કરીરહી છે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ રાજ્યમાં પર્યાવરણીય ધોરણોનું અમલીકરણ સુનિશ્ચિત કરતી નિયમનકારી સંસ્થા તરીકે
મહત્વની ભૂમિકા નિભાવે છે. બોર્ડ સતત મોનિટરિંગ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવાનું કાર્ય કરી રહી છે.GPCBપર્યાવરણ તથા જાહેર આરોગ્ય વચ્ચે સંતુલન જાળવીને રાજ્યમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરે છે. જેના આધારે ભાવિ પેઢીઓને વધુ તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનો વારસો મળી રહ્યો છે.
વધુમાં,આ મોબાઇલ વાનમાં આધુનિક વિશ્લેષણ ઉપકરણો,ડિટેક્ટરો અને પોર્ટેબલ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાંથી જે તે વિસ્તારની હવા અને પાણીની ગુણવત્તાનું માપન કરવામાં આવી રહ્યું છે. ગેસ લીક જેવી આકસ્મિક અથવા આપાતકાલીન પરિસ્થિતિઓ સર્જાય ત્યારે આ વાન દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક પર્યાવરણીય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે.
આ વાનનો ઉપયોગ કેમિકલ ઉદ્યોગ વિસ્તારો, GIDC, SEZતથા અન્ય સંભવિત પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે. આ વાનના ઉપયોગથી નાગરીકોને પણ અનેક પ્રકારના ભૌતિક તેમજ અભૌતિક લાભો થઇ રહ્યા છે. જેમાં તાત્કાલીક ઘટનાસ્થળે જ વિશ્લેષણ-પૃથ્થકરણ થવાથી નિર્ણય લેવા માટે ઝડપથી કામગીરી થઈ રહી છે. જેથી નાગરીકોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવામાં આ વાન મદદરૂપ થઇ રહી છે.

