નરેન્દ્ર મોદી એવું કહેતા કે ‘ક’ કમલનો ક, ‘ક’ કઠલાલનો ક અને ‘ક’ કનુભાઈનો ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવા લાડ પામનાર કનુ ડાભીની અત્યારે પક્ષમાં સ્થિતિ ખૂબ કફોડી છે.
એમા પણ આ મંત્રીનું નામ સાંભળીને સાંસદ ચિડાય અને ખોટાં ત્રાગાં કરે.
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવા સમાચાર મળ્યા છે કે એક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય સરકારની કેબિનેટમાં સ્થાન પામેલા મંત્રી અને તેઓ જે જિલ્લામાંથી આવે છે એ જિલ્લાનાં સંસદ સભ્ય વચ્ચેનાં મતભેદો એવી ચરમ સીમાએ પહોંચ્યા છે કે એ બંને એકબીજા સાથે બોલતાં પણ નથી.
સ્થાનિક અધિકારીની મુંઝવણ એવી છે થઈ ગઈ છે કે સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ અનુસાર આ બંને પદાધિકારીઓને બોલાવવા પડે. એમા મંત્રીનું નામ સાંભળીને સાંસદ ચિડાય અને ખોટાં ત્રાગાં કરે. એ જિલ્લાના એક ઓફિસરે એવું કહ્યું કે અમારા જિલ્લામાં સ્થિતિ એવી છે કે ‘પાડેપાડા બાઝે એમાં ખો ઝાડનો નીકળી જાય’ એ કહેવત યાદ આવી જાય છે.

પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીની ભા.જ.પ.મા ભરપૂર અવગણના
એક જમાનો એવો હતો કે ભા.જ.પ.કઠલાલ-કપડવંજની ધારાસભાની સીટ નહોતો જીતી શકતો.ત્યારે ભા.જ.પ.ના એ વિસ્તારના નિષ્ઠાવાન આગેવાનોએ કમર કસીને એ સીટ પર કનુ ડાભીને જીતાડી દીધાં.

એ વખતે નરેન્દ્ર મોદી એવું કહેતા કે ‘ક’ કમલનો ક,’ક’ કઠલાલનો ક અને ‘ક’ કનુભાઈનો ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવા લાડ પામનાર કનુ ડાભીની અત્યારે પક્ષમાં સ્થિતિ ખૂબ કફોડી છે.
કઠલાલની સીટ કોંગ્રેસમાંથી ભા.જ.પ. આવેલા રાજેશ ઝાલાને આપી દેવામાં આવી છે.ઝાલા હજુ કોગ્રેસ કલ્ચરમાંથી બહાર નીકળી શક્યા નથી એટલે ભા.જ.પ.ના કોઈ કાર્યકરોના કામ થતાં નથી. વહીવટીતંત્ર પણ આ પૂર્વ ધારાસભ્યની ભરપૂર અવગણના કરે છે અને પ્રદેશ કમલમ કનુ ડાભીને હાંસિયામાં રાખે છે એવો ડાભીએ કમેરા સામે ઉભા રહીને આક્ષેપ છે.
રાજ્યકક્ષાના મત્સ્યોધ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીનો દબદબો બરકરાર છે
ગુજરાત સરકારનાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત કોળી સમાજના શ્રદ્ધેય નેતા પુરૂષોત્તમ સોલંકીનું ગુજરાતનાં (અને ભારતના પણ) કોળી સમાજ પરનું વર્ચસ્વ હજુ પણ એવું ને એવું મજબૂત છે એની સાબિતી હમણાં મળી ગઈ.
ગુજરાત સરકારનાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત કોળી સમાજના શ્રદ્ધેય નેતા પુરૂષોત્તમ સોલંકીનું ગુજરાતનાં (અને ભારતના પણ) કોળી સમાજ પરનું વર્ચસ્વ હજુ પણ એવું ને એવું મજબૂત છે એની સાબિતી હમણાં મળી ગઈ.

બન્યુ એવું કે સોલંકી દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી મુંબઈના અંધેરીમાં ‘મોગેશ્વર ગણેશોત્સવ’ શિર્ષક હેઠળ ગણપતિ મહોત્સવ ઉજવાય છે.