ગુજરાત હાઈકોર્ટ બારની અસ્મિતા ઉજાગર કરવા અને વકીલોના પ્રાણ પ્રશ્નોના ઉકેલ લાવવા હાઈકોર્ટ બારમાં ખેલાતો ચૂંટણી જંગ! પણ મત વિભાજન આશ્ચર્યજનક પરિણામોનું સર્જન કરશે ?!
પ્રમુખ પદ ઉપર યતીનભાઈ ઓઝા, બી.એમ. માંગુકીયા, બ્રિજેશભાઈ ત્રિવેદી, ચિતરંજીતભાઈ ઉપાધ્યાય, દર્શનભાઈ શાહ વચ્ચે વ્યુહાત્મક ચૂંટણી જંગ ?!
ઉપપ્રમુખ પદ ઉપર પૃથ્વીસિંહ જાડેજા, વિરાટભાઈ પોપટ, નિરવભાઈ ત્રિવેદી, પુનિતભાઈ જુનેજા, અભિરાજભાઈ ત્રિવેદી અને અશોકભાઈ પરીખ વચ્ચે જંગ ?!
સેક્રેટરી પદ ઉપર ભાવિકભાઈ પંડયા, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, વિશાલભાઈ ઠકકર, મહેશભાઈ બારીયા તથા દેવેન્દ્રભાઈ પંડયા વચ્ચે કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો કથિત ગુપ્ત પ્રચાર ?!
જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર ૮ ઉમેદવારો મેદાનમાં?! કોણ કોના મત કાપશે ?! પ્રથમ વાર ખજાનચી પદ માટે મહિલા અનામત ખુશ્બુબેન વ્યાસ, ભક્તિબેન જોષી, અમીબેન પટેલ, જૈમીની પાઠક વચ્ચે રસપ્રદ સ્પર્ધા સર્જાઈ છે ?!
મહાન વિચારક સર વોલ્ટર રેલે કહે છે કે, “માથું ગમે તે દિશામાં હોય હૃદય સાચી દિશામાં જ હોવું જોઈએ”!! બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, “ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે”!! ગુજરાત હાઈકોર્ટ બારમાં મજબુત નેતૃત્વનો અભાવ હોવાની વકીલ આલમમાં ચાલતી ચકચાર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ બારની ચૂંટણી યોજાવા જઈ રહી છે !
એક જમાનામાં ગુજરાત હાઈકોર્ટ બાર એટલું મજબુત ગણાતું હતું કે, તેની રજૂઆતની “બેન્ચ” માં ગંભીર નોંધ લઈ પ્રશ્નો ઉકેલાતા હતાં ! પરંતુ હવે એ શાખ નબળી પડયાની ચર્ચા વચ્ચે ગુજરાત હાઈકોર્ટ બારના મજબુત, અનુભવી, કાબેલ વકીલોના પ્રશ્નો માટે લડત આપી શકે એવા “પ્રમુખ” ની જરૂર છે ! ભૂતકાળમાં હાઈકોર્ટ બારમાં શ્રી કે. જે. શેઠના, શ્રી યોગેશભાઈ લાખાણી જેવા અનેક પ્રમુખો બારને મળેલા !
જેમણે બાર અને બેન્ચ વચ્ચે સંવાદ જાળવી અનેક પ્રશ્નો ઉકેલ્યા હતાં ! આજે વકીલ આલમની સમસ્યાઓ ઉકેલાતી નથી ! કારણ ગમે તે હોય પણ હવે હાઈકોર્ટ બારમાં સમગ્ર ટીમ મજબુત નહીં હોય તો નહીં ચાલે ?! એવું કહેનારા વકીલ મતદારો મજબુત ઉમેદવારોની ટીમની તરફેણમાં મતદાન કરે એ જરૂરી છે ! નહીં તો હાઈકોર્ટ બાર નેતૃત્વ વગરનું બાર બની જશે ?!
પ્રમુખ પદ ઉપર શ્રી યતીનભાઈ ઓઝા, શ્રી બી. એમ. મંગુકીયા, શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી, શ્રી ચિતરંજીત ઉપાધ્યાય, શ્રી હેમરાજ શેઠના વચ્ચે રસાકસી ભર્યાે ચૂંટણી જંગ ખેલાશે ?! શ્રી યતીનભાઈ ઓઝાનું નામ હોટ ફેવરીટ હોવાની વકીલોમાં ચકચાર ?! પણ કોણ જીતશે ?!
મહાત્મા ગાંધી કહે છે કે, “જયાં ભુલો કરવાની આઝાદી ન હોય એવી સ્વતંત્રતા કોઈ કામની નથી ! તમે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોવ “મનુષ્ય માત્ર ભુલને પાત્ર” પરંતુ ભુલોની પરંપરા ન સર્જવી જોઈએ”!! અને ન્યાયાધીશોથી પણ કયારેક ભુલ થઈ શકે છે ! માટે તો ટ્રાયલ કોર્ટ પછી હાઈકોર્ટ છે અને હાઈકોર્ટ પછી સુપ્રિમ કોર્ટ છે ! ગુજરાત હાઈકોર્ટમાં એક વાર મેટર ફાઈલ કરો પછી તેમાં હાથથીકરેલો ટેકનીકલ સુધારો પણ ગ્રાહ્ય રખાતો નથી !
હા કોઈ એડવોકેટ પાછળથી કોઈ સર્વે નંબર પાર્ટીના ધ્યાન બહાર જ સુધારી ન નાંખે માટે નિયમ કડક બનાવ્યા હોય તો પણ જન્મ તારીખ કે સરનેમમાં ટાઈપીંગ મિસ્ટેક જેવો નાનકડો સુધારો કોર્ટાેએ ગ્રાહ્ય રાખવો જોઈએ ! આ મુદ્દે વકીલોની વ્યાપક ફરિયાદ છે ! હાઈકોર્ટના ન્યાયાધીશની કરાયેલી બદલીના સંદર્ભે હડતાલનો જે રીતે ફીયાસ્કો થઈ ગયો તેનાથી નારાજ વકીલો હાઈકોર્ટ બારમાં મજબુત નેતૃત્વની શોધમાં છે ?!

