Surat Family Gas Leakage Death: ગુજરાતના સુરત શહેરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં મંગળવારે એક દંપતી અને ૧૩ વર્ષના પુત્રનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગેસ ગળતરને કારણે ગૂંગળામણ થવાથી તમામના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે ડીસીપીએ જણાવ્યું હતું કે આ મામલે દરેક પાસાથી તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકો કોણ છે?
ડીસીપી રાઘવ જૈને જણાવ્યું કે ફેઝ અહેમદ (૪૫), મુબીના (૩૬) અને નોમાન (૧૨) ના મૃતદેહ મંગળવારે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે એપાર્ટમેન્ટના તમામ દરવાજા અને બારીઓ બંધ હતા અને મુખ્ય દરવાજો પણ અંદરથી લોક હતો. જૈને સંવાદદાતાઓને જણાવ્યું કે તેમના મોઢામાંથી ફીણ નીકળ્યું હતું. અમે ફોરેન્સિક નિષ્ણાતો સાથે વાત કરી અને મોતના સંભવિત કારણો શોધવાનો પ્રયાસ કર્યો છે.
કેવી રીતે થયું મોત?
ડીસીપીએ જણાવ્યું કે પ્રાથમિક અંદાજ ગેસ ગળતરને કારણે ગૂંગળામણનો છે, કારણ કે એર કંડિશનર અને ગીઝર કોમન એરિયામાં છે અને પોલીસકર્મીઓને ત્યાં ગૂંગળામણનો અનુભવ થયો હતો. ફોરેન્સિક નિષ્ણાતો માને છે કે મોતના મુખ્ય કારણ આ હોઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ફૂડ પોઈઝનિંગ પણ એક ઓછી શક્યતા ધરાવતું કારણ હોઈ શકે છે.
પોલીસ કરી રહી છે તપાસ
અધિકારીએ જણાવ્યું કે લોહીના નમૂના અને અન્ય તમામ સંબંધિત પુરાવા નિષ્ણાતોને મોકલવામાં આવી રહ્યા છે જેથી મોતના ચોક્કસ કારણની જાણ થઈ શકે. ડીસીપીએ જણાવ્યું કે પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે.

