T20 વર્લ્ડ કપ 2024 : ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની ટીમની પસંદગી 30 એપ્રિલની મોડી સાંજે કરવામાં આવી હતી. આઈપીએલ 2024 સીઝન સમાપ્ત થયા બાદ ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપની 2024ની આવૃત્તિમાં ભાગ લેવા જશે.
આ દરમિયાન ટી20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કારણ કે ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વિકેટકીપર બેટ્સમેન IPL 2024ની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે.
આજે (02 મે) સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (SRH VS RR) વચ્ચે સિઝનની 50મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે ટ્રેવિસ હેડની અડધી સદીની ઇનિંગની મદદથી 15 ઓવરમાં 131 રન બનાવ્યા છે.
રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ કીપરની ભૂમિકા ભજવવાને બદલે ફિલ્ડીંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન ટ્રેવિસ હેડ દ્વારા શોટ રોકવાનો પ્રયાસ કરતા ધ્રુવ જુરેલ ઘાયલ થયો હતો. ધ્રુવ જુરેલને જોઈને લાગતું હતું કે તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. જેના કારણે ઘણા ક્રિકેટ સમર્થકોનું માનવું છે કે ધ્રુવ જુરેલ હવે આખી IPL સિઝન માટે બહાર થઈ શકે છે.