ગુજરાત એસ.ટી. નિગમની નવી છલાંગ: ₹૨૬૦ કરોડના ખર્ચે ૫૧ નવી અત્યાધુનિક બસો અને ૨૮ બસ સ્ટેશનોની ભેટ મળશે
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર રાજ્યમાં જાહેર પરિવહન સેવાને વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનાવવા જઈ રહી છે. આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યભરમાં ₹૨૬૦ કરોડ ના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે, જેનાથી લાખો મુસાફરોને સીધો ફાયદો થશે.
જનતાની સુખાકારીમાં વધારો કરવા માટે એસ.ટી. નિગમ દ્વારા ૫૧ નવી અત્યાધુનિક બસો કાર્યરત કરવામાં આવશે. આ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે. વિવિધ રૂટો પર આ બસો શરૂ થવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે નીચે મુજબના આયોજનો કરવામાં આવ્યા છે:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચાડવા માટે કટિબદ્ધ છે. GSRTC દ્વારા હાથ ધરવામાં આવેલ આ ₹૨૬૦ કરોડના પ્રકલ્પો રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવશે.
આગામી એક સપ્તાહ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક જનપ્રતિનિધિઓના વરદ હસ્તે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિધિઓ યોજાશે. આ કાર્યક્રમો દ્વારા એસ.ટી. નિગમ તેના નેટવર્કને વિસ્તારીને પ્રજાલક્ષી સેવામાં નવા આયામો સર કરશે.

