૧૯૮૦માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારે 2022માં સ્થગિત કરી દીધો હતો
વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
Øરાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે,કોઇપણ નવોDPR(ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ)રજૂ કરાયો નથી-ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.
Øપાર–તાપી–નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ–૨૦૧૭માં બનેલાDPRબાદ નવો કોઇપણDPRબન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથી
રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ ૨૦૨૨માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે.
તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કે,પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ ૧૯૮૦માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. શ્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – ૨૦૧૭માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલDPRસંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં.
તાજેતરમાં રાજ્યસભામાં ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ અને ૨૭ જુલાઈ ૨૦૨૫ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેનાDPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનોDPRક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા,રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.
રાજ્યસભામાં જેDPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-૨૦૧૭નો જ છે અને વર્ષ ૨૦૧૭ પછી કોઇપણ નવોDPRજાહેર કરાયો નથી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે પણ ૧૦મી ઑગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કે,કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઇ ઉદ્દેશ્ય નથી.

