ગુજરાત બાર કાઉન્સિલમાં અભૂતપૂર્વ કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં વકીલ મતદારોની જાગૃત, સમજદારી અને કોઠાસૂઝ ગુજરાત બાર કાઉન્સિલની દિશા અને દશા નકકી કરશે ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જીતવા અનેક ઉમેદવારો મેદાનમાં છે ! દરેક વકીલ ઉમેદવાર ચૂંટણી જીતવા કમર કસી રહ્યો છે ! પોતે શું કરવા માંગે છે ! તેનો વાયુવેગે પ્રચાર કરી રહ્યા છે ! આ વખતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ ચૂંટણીમાં પ્રથમ વાર ઉભા છે ! પ્રથમ વાર મત માંગે છે !
તેમણે કરેલા કાર્યાેથી વકીલ મતદારો પ્રભાવિત થયેલા છે ! કામ કર્યુ છે ! માટે જ શ્રી જે. જે. પટેલ વકીલ મતદારોના ભરોસે ઉભા છે ! અને હવે નવી ચર્ચા ચાલે છે કે, ગુજરાત બાર કાઉન્સિલમાં સૌથી વધુ મતે કોણ ચૂંટાશે ?! શ્રી જે. જે. પટેલના કામો બોલે છે ! અને તેમના ટેકેદારો સૌથી વધુ મતે શ્રી જે. જે. પટેલને જીતાડવા મેદાનમાં ઉતર્યા છે ! ફોજદારી બારમાંથી વધુ એકડાની અપેક્ષા શ્રી જે. જે. પટેલને હોય એ સ્વાભાવિક છે !
કારણ કે ભા.જ.પ. લીગલ સેલના હોદ્દેદારો અમદાવાદ શહેરમાં વધુ છે ! અનેક નોટરીઓ તેમની મત બેંક છે ! જુનીયર્સ વકીલો શ્રી જે. જે. પટેલને એકડો આપવાનું મન બનાવી ચૂકયા છે ! બીજી તરફ ગઈ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સૌથી વધુ મતે એડવોકેટ શ્રી પરેશભાઈ વાઘેલા જીતેલા છે ! તેમણે પણ ચૂંટાયા પછી કોમ, જ્ઞાતિ, જાતિ જોઈ કામો કર્યા નથી જુનીયર્સ વકીલોના સૌથી વધુ કામો કર્યા છે,
માર્ગદર્શન આપ્યું છે, સત્તા માટે ભા.જ.પ. રચીત સમરસ પેનલમાં જોડાયા નથી ! ભાડા ભથ્થા લીધા નથી ત્યારે તે સૌથી વધુ મત મેળવવાનો રેશિયો જાળવી રાખે છે કે પછી બીજા ક્રમે ચૂંટાય છે ! કે પછી ક્રમ બદલાય છે ?! એ જોવાનું રહે છે! શ્રી જે. જે. પટેલ સૌથી વધુ મતે જીતે છે કે શ્રી પરેશભાઈ વાઘેલા સૌથી વધુ મતે જીતે છે એની ચર્ચાએ જોર પકડતા બીજા સંભવિત ઉમેદવારોમાં ચિંતા પેઠી છે ?! જોઈએ કોણ સૌથી વધુ મતે જીતે છે ??!!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલનો એ ગૌરવવંતો ઈતિહાસ હતો જેમાં સુવિખ્યાત ધારાશાસ્ત્રીઓ ચૂંટાતા હતાં અને ન્યાયાધીશ પદ ઉપર પહોંચતા હતાં ?!
ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને સક્ષમતા પર વકીલાતનો વ્યવસાય નિર્ભર છે, એ વકીલ મતદારો વિચારશે ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઘસારો ?! ગુજરાત બાર કાઉન્સિલમાં મહિલા ઉમેદવારોને લઈને ફરનારાઓ જોઈને નહીં તેમની કાબેલિયત જોઈને મત આપોની ચર્ચાએ પણ જોર પકડયું છે ?!
મહાન વિચારક અને તત્વચિંતન આટોવાન બિસ્માર્ક કહે છે કે, “માનવી ઘટનાઓના પ્રવાહને રોકી ન શકે, એ માત્ર તેમની સાથે તરતો રહી શકે”!! મહાન રાજનિતિજ્ઞ નેલ્સન મંડેલાએ સરસ કહ્યું છે કે, “જેના ઉપયોગથી વિશ્વને બદલી શકાય તેવું ધારદાર શસ્ત્ર જો કોઈ હોય તો તે “શિક્ષણ” છે”!! સમગ્ર વકીલ આલમે એ વિચારવું જોઈએ કે, ભારતની આઝાદીના અને વિકાસના સાચા નકશીગાર એ વકીલો હતાં, બંધારણોના અભ્યાસું હતાં, દુરંદેશી વિચારકો હતાં !
મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર આ મહાન વિભૂતિઓ હતી ! આ લોકો વકીલો હતાં ! જેમણે નિડરતાથી, એકતાથી, અને બંધારણીય મૂલ્યોની અને નૈતિકતાથી વકીલાત કરીને ભારતને આઝાદી અપાવી ! શૂન્યમાંથી દેશનું સર્જન કર્યુ ! અને વિકાસ કર્યાે ! માટે દેશનું સંચાલન વકીલોએ કર્યુ છે ! બંધારણના અભ્યાસીઓએ કર્યુ છે !
આ જ રીતે દેશના મહાન વિદ્વાન વકીલોએ દેશના ન્યાય મંદિરમાં ન્યાયમૂર્તિશ્રીઓ બનીને ન્યાય તોળ્યો છે ! અને અનેક ઐતિહાસિક અને યાદગાર ચૂકાદાઓ આપ્યા છે ! જેમાં ન્યાયમૂર્તિ શ્રી પતંજલી શાસ્ત્રી, ન્યાયમૂર્તિ શ્રી એ. કે. સિક્રી, શ્રી ગજેન્દ્ર ગડકર અને ન્યાયમૂર્તિ શ્રી પી. એન. ભગવતી, ન્યાયમૂર્તિ શ્રી ક્રિશ્ના ઐયર જેવા અનેક ન્યાયાધીશો દેશને મળ્યા છે ! માટે દેશના વકીલો મજબુત હશે, નિષ્પક્ષ હશે, નિડર હશે, નૈતિકતામાં અને બંધારણના આદર્શાેમાં માનનારા કર્મશીલો હશે તો દેશ ટકી શકશે ?! માટે વકીલ મતદારો એવા ઉમેદવારને ગુજરાત બાર કાઉન્સિલમાં જીતાડે જે દેશનું ન્યાયતંત્રનું અને ફકત વકીલ આલમનું વિચારે ! વકીલ મતદારો વિચારશે ને ?!

