તા.ર૬.ર.ર૬ ના રોજ મુખ્યમંત્રી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ર રજૂ દાખલ થતાં બંને કચેરીના અધિકારીઓની દોડધામ વધી છે.
ગારિયાધાર, શહેરમાં પાલિતાણા રોડનો એસટી સ્ટેન્ડથી પંચમુખી હનુમાન મંદિર સુધીનો રસ્તો આઈકોનિક રોડ સરકાર દ્વારા જાહેર કરાયેલો છે. આ રોડમાં કોમર્શિયલ હેતુ માટે કરેલ દબાણ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા વચ્ચે હાથ તાળીના ખેલ શરૂ થયા છે.
પાલિતાણા રોડ ઉપર આવેલા કોમર્શિયલ બાંધકામ માટે મનફાવે તેવા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેને લઈને એક અરજદાર પ્રવીણભાઈ કંટારીયા દ્વારા તા.ર૭.ર.રપ ના રોજ નગરપાલિકા કચેરી ખાતે દબાણ દૂર કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા તા.ર૬.૩.રપના આ પાલિતાણા રોડ ગારિયાધાર નગરપાલિકાનો જાહેર રસ્તો ન હોય જેથી તેમની કચેરી દ્વારા તે બાબતે કંઈ પણ કરવાનું ન હોય તેવો લેખિત જવાબ આપવામાં આવ્યો હતો.
આ બાબતને લઈને અરજદાર દ્વારા નાયબ કાર્યપાલકને માર્ગ અને મકાન વિભાગને દબાણ દૂર કરવા માટેની અરજી કરવામાં આવી હતી. તેમાં તા.૩૦.૬.રપ ના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગારિયાધાર શહેરનો આઈકોનિક રોડ તેમની અંડરમાં આવતો ન હોય અને આ આઈકોનિક રોડ તા.ર૪.૧૦.ર૪ના નિર્મળ ગુજરાત ર.૦ યોજના મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ શરતોને આધીન ગારિયાધાર નગરપાલિકાને સોંપી દેવાયો હોય જેથી બિનઅધિકૃત દબાણો નગરપાલિકાએ દૂર કરવાના રહે છે.
આથી અરજદાર દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર પાસે સઘળા કાગળો સાથે, કચેરીના જવાબો સમગ્ર પ્રકરણનું અવલોકન રજૂ કરવામાં આવ્યું હતું. આ બંને કચેરીઓ દ્વારા અરજદારને કાર્યવાહીના બદલે માત્ર જવાબો આપી સંતોષ માનવામાં આવ્યો છે.
જે અનુસંધાને અરજદારની આ અરજીના પગલે તા.ર૬.ર.ર૬ ના રોજ મુખ્યમંત્રી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ર રજૂ દાખલ થતાં બંને કચેરીના અધિકારીઓની દોડધામ વધી છે. હવે અરજી બાબતે તા.ર૬.ર.ર૬ ના રોજ સરકારના આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈ નિર્ણય લેવામાં આવે છે કે ત્યાંથી પણ મુદત જ અપાશે તે જોવું રહ્યું.

