શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન-
જેતલપુર, ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. ૨૦૮૨ ફાગણવદ આઠમ તા. ૧૧-૦૩-૨૦૨૬ના શુભ મંગલ દિવસે ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ. પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા. ૦૫-૦૩-૨૦૨૬ થી તા.૧૧-૦૩-૨૦૨૬ સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે કે સ્વામિનારાયણ મંદિર જેતલપુર કે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરી હતી, તેના દ્વીશતાબ્દિ મહોત્સવની ઉજવણી કરવા આપણે ઉપસ્થિત થયાં છીએ.
સ્વામિનારાયણ સંપ્રદાય જ્યાં આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યાં સામાજિક ક્ષેત્રમાં પણ કલ્યાણના ઘણાં કાર્યક્રમો આયોજિત કરે છે.

આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીની તેમની અનોખી પહેલ, આરોગ્ય ઉપર તેના સકારાત્મક પ્રભાવ વિશે પણ ઉપસ્થિત લોકોને જાણકારી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લોકોને આહ્વાન કર્યું હતું.
અવસર દ્વિશતાબ્દી મહોત્સવનાં સ્વાગત પ્રવચન આપતાં પ. પુ. ભાવી આચાર્ય વજેન્દ્રપ્રસાદજીએ કહ્યું હતું કે જયારે શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ પુર્ણ થઇ રહ્યાં છે ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પુર્ણ થઇ રહ્યાં છે
જે ખુબજ સૌભાગ્યની વાત છે. જેતલપુર મંદિર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુત્વને લઇને દરેક લોકોમાં હિન્દુત્વ માટેની જાગૃકતા અને દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે તેને આપણે બધાએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. આ પ્રયાસ દરેક હરી-ભક્તો અને સંતોએ એકસાથે મળીને સફળ બનાવવાનો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સર સંઘચાલકશ્રી મોહન ભાગવતજીએ આ પ્રસંગે હરી-ભક્તોને સંબોધતા હળવી શૈલીમાં કહ્યું હતું કે એક સીનીયરને મળીને જુનીયરને જે ખુશી થાય એવી ખુશી મને થઇ રહી છે.
કેમકે જે કામ કરતા અમને ૧૦૦ વર્ષ થયા એજ કામ સ્વામિનારાયણ સંપ્રદાય ૨૦૦ વર્ષથી કરી રહ્યું છે. ધર્મ દરેકને જોડે છે, વિખરાવા નથી દેતું તે જ રીતે આપણે પણ આપણું જીવનમા જોડવાનું કામ કરવાનું છે અને લોકોમાં વિખરાવ ના આવે એવું કરવાનું છે.

