સોલધરા ગામની “લખપતિ દીદી”,જેણે ગ્રામ્ય ભૂમિ પર સ્વ-નિર્ભરતાનો નવો ઇતિહાસ રચ્યો:
VGRCદક્ષિણ ગુજરાતમાં બનશે આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ
ગ્રામ વિકાસથી વૈશ્વિક ફલક સુધી: દક્ષિણ ગુજરાતની આત્મનિર્ભર મહિલા ઉદ્યોગકાર અસ્મિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહી છે યોગદાન
“સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન અશોકભાઈ પટેલ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે,એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય10મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત મિશન” ને સાકાર કરે છે.
ઉલ્લેખનીય છે કે,એપ્રિલ2026માં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો અને ગ્રામીણ ઉદ્યોગકારોને વૈશ્વિક બજાર સાથે જોડવા પર ભાર મૂકવામાં આવશે. આ મંચ દ્વારા અસ્મિતાબેન જેવી મહિલા ઉદ્યોગકારોને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાની નવી તકો મળશે.

મધ-ઉછેરથી આત્મનિર્ભરતાની શરૂઆત
ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામમાં જન્મેલ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ,ખેડૂત પરિવારમાં ઉછર્યાં. નાનપણથી ખેતી અને પશુ-પાલનનું જ્ઞાન ઘૂંટ્યું.ATD (આર્ટ ટીચર ડિપ્લોમા) ભણતાં ભણતાં પિતાના અવસાનનો ઘા સહ્યો,પરંતુ પ્રગતિશીલ સસરા-સાસુ અને પોતાનો આત્મવિશ્વાસ જ એમની ઢાલ બન્યો. લગ્ન પછી પણB.A.ની ડિગ્રી મેળવી,જ્ઞાન અને સ્વ-ઉત્કર્ષ ક્યારેય અટક્યો નહીં.
ખેતીની આવક માર્યાદિત,ઘર ચલાવવું મુશ્કેલ;આ મુશ્કેલ દૌરમાં વર્ષ2010-11માં અસ્મિતાબેને મધ-ઉછેરનો (Beekeeping)કોર્સ પૂર્ણ કર્યો. ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું,બજારમાં વેચ્યું.2014માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બેકરી કોર્સ કર્યો. આ ઉત્સાહ અને ઝોક જ એમની ઓળખ બની ગઈ.
‘સહ્યાદ્રી સખી મંડળ‘ – 10મહિલાઓ, 1સ્વપ્ન
2015માં ગ્રામ વિકાસ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ અસ્મિતાબેને10મહિલાઓ સાથે ‘સહ્યાદ્રી સખી મંડળ’ની સ્થાપના કરી. શરૂઆતમાં કેરી,લીંબુ અને કરંડાના અથાણાં અને મોસમી ઉત્પાદનો બનાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ.

