યશસ્વી કારકિર્દી સાથે અધિક મુખ્ય સચિવપદેથી એસ. જે. હૈદર નિવૃત
ગુજરાતની આઈ.એ.એસ. કેડરની ૧૯૯૧ની બેચના અધિકારી અને વડોદરાથી આસિસ્ટન્ટ કલેકટર તરીકે કારકિર્દી શરૂ કરનાર અને મૂળ પટણા, બિહારના વતની એસ. જે. હૈદર તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યશસ્વી કારકિર્દી સાથે અધિક મુખ્ય સચિવપદેથી નિવૃત થયા.એમની કારકિર્દીનું વિહંગાવલોકન કરીએ તો જણાય કે
(૧) આ હૈદરને ગાંધીનગર એ રીતે ઓળખે છે કે ૨૦૦૧મા જ્યારે અક્ષરધામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે તેઓ કલેકટર તરીકે જીવના જોખમે પણ આખી રાત મંદિરમાં રહીને બચાવ કામગીરીને માર્ગદર્શન આપતા હતા.

(૨)આશરે ૬ ફૂટની ઊંચાઈ ધરાવતા હૈદર દરરોજ પોતાની ઓફિસમાંથી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા પછી નીકળવાની ટેવ ધરાવતા હતા.
(૩)વહીવટમા ખૂબ કડક અને સ્વભાવે સહ્રદયી રહેલા હૈદર વાઈબ્રન્ટ ગુજરાતના પ્રણેતા રહ્યા છે.પ્રથમ વાયબ્રન્ટથી શરૂ કરીને છેલ્લા વાઈબ્રન્ટ સુધી હૈદર તેની સાથે સંકળાયેલા રહ્યા છે.
છેલ્લે જાન્યુઆરી-૨૦૨૪મા યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત અંગે તો નરેન્દ્ર મોદીએ ડીસામાં જાહેરમાં એવું કહેલું કે ‘હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે જે વાઈબ્રન્ટ ગુજરાતના આયોજન થતાં તે કરતા પણ આ વર્ષે વધું સારું આયોજન કરાયું છે.'(૪)ગુજરાતમા ઘડાયેલી ૧૮ પોલીસી પૈકી ૧૨ તેઓએ ઘડી છે અને ૬ માં એમનું કિંમતી યોગદાન રહ્યું છે.
(૫)ગુજરાતની ૬ યુનિવર્સિટીને હૈદરે સેન્ટર ફોર એક્સેલન્ટનો દરજ્જો અપાવ્યો છે.
(૬)સચિવ પ્રવાસન તરીકે વૃદ્ધો માટે યાત્રા ધામોના પ્રવાસની યોજના ઘડી હતી તથા યાત્રાધામોનો વિકાસ કર્યો હતો(૭)રીન્યુઅલ એનર્જી અંગે ગુજરાતમાં જે સુંદર કામ થયું છે એમાં પણ હૈદરનો સિંહફાળો છે.એવુ કહેવાય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે હૈદરની શક્તિ ગુજરાતનાં વહીવટીતંત્રમાં સુપેરે જોતરી હતી.
ભાવનગરના કલેકટર મનીષ બંસલની ભાવેણા પ્રત્યેની ભરપૂર ભાવુકતા

સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર ભાવભર્યું,સંસ્કારી અને સાંસ્કૃતિક નગર છે. આ નગરને રાજાઓ પણ સરસ પ્રાપ્ત થયા છે.મહાત્મા ગાંધી આ શહેરમાં અને મોરારજી દેસાઈ આ રાજ્યની સ્કોલરશીપથી ભણ્યા હતા.આ આ નગરમાં જે સનદી અધિકારીઓ જાય છે એ પણ(સંવેદનશીલ હોય તો)એ નગરને ચાહતા થઈ જાય છે.

